ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 23  કેસ નોંધાયા છે. બીજી તરફ 12  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,232 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે  3,10,581 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 3,  રાજકોટ કોર્પોરેશનમાં 2, વલસાડમાં 2, આણંદમાં 1, કચ્છમાં 1, સાબરકાંઠા 1, સુરત 1 અને વડોદરા 1 કેસ નોંધાયો હતો. જો  કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 184   કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 179 નાગરિકો સ્ટેબલ છે. 8,16,232 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10088 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે  3,10,581 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1243 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 14448 નાગરિકોને રસીનો પ્રથમ અને 70813 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43406 નાગરિકોને રસીનો પ્રથમ અને 180667 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,10,581 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,98,88,548 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 



અમદાવાદ,  અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ,  સુરેન્દ્રનગર અને  તાપીમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.