ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના 1197 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2947 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,798  એક્ટિવ કેસ છે, જ્યારે 72,308 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,798 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 90,193 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે  અમદાવાદ કોર્પોરેશનનમાં 4, રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1 મળી  કુલ 17  લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 168 અમદાવાદ કોર્પોરેશનમાં 144, વડોદરા કોર્પોરેશનમાં 90,  સુરતમાં 85, જામનગર  કોર્પોરેશમાં 79, રાજકોટ કોર્પોરેશમાં 77, અમરેલીમાં 34, વડોદરામાં 34, પંચમહાલમાં 31, ભરૂચમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 27, કચ્છમાં 24, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 23-23, રાજકોટમાં 22, મહેસાણા અને પાટણમાં 21-21, ગાંધીનગર કોર્પોરેશનમાં 20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1047 દર્દી સાજા થયા હતા અને 77,949 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 19,69,724  ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,77,038 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,76,372 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 666વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.