ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 34  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,943 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે.  આજે  3,33,430 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ અને વલસાડમાં કોરોના કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 7 નવા કેસ સામે આવ્યા છે તો વલસાદમાં પણ સાત કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 5 કેસ નોંધાયા છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 215 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 210 નાગરિકો સ્ટેબલ છે. 8,15,943 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, વલસાડમાં 7, સુરત કોર્પોરેશનમાં 5,સુરત 4,  વડોદરા કોર્પોરેશનમાં 3, જૂનાગઢ 2, કચ્છ 2, નર્મદા 2, મહેસાણા 1 અને  નવસારીમાં કોરોનાનો નવો 1 કેસ નોંધાયો છે.



બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 16 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 3229  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 20778 નાગરિકોને રસીનો પ્રથમ અને 72060 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 65745 નાગરિકોને રસીનો પ્રથમ અને 171602 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,33,430 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,63,31,478 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 



અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા,  મહીસાગર, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.