ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,019  કેસ નોંધાયા છે. બીજી તરફ 4831  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,40,971 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.73 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  2 મોત થયા. આજે 38,446 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3090, સુરત કોર્પોરેશનમાં 2986,  વડોદરા   કોર્પોરેશનમાં 1274,  રાજકોટ કોર્પોરેશનમાં 296, સુરતમાં 273, ભાવનગર કોર્પોરેશનમાં 225, વલસાડમાં 183, ગાંધીનગર કોર્પોરેશનમાં 142, નવસારીમાં 140, ભરૂચમાં 118, મહેસાણામાં 104, કચ્છમાં 101, વડોદરામાં 99, જામનગર કોર્પોરેશનમાં 79, રાજકોટમાં 77, અમદાવાદમાં 74, સાબરકાંઠામાં 70, ખેડામાં 69, આણંદમાં 65, પાટણમાં 65, ગીર સોમનાથમાં 56, જૂનાગઢ કોર્પોરેશનમાં 49, અમરેલીમાં 44, ગાંધીનગરમાં 38, મોરબીમાં 38, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 31. ભાવનગરમાં 30, દાહોદમાં 27, સુરેન્દ્રનગરમાં 27, દેવભૂમિ દ્વારકામાં 24, પોરબંદરમાં 23, તાપીમાં 18, જામનગરમાં 14, મહીસાગરમાં 13, નર્મદામાં 7, ડાંગમાં 6, જૂનાગઢમાં 3, અરવલ્લીમાં 2, છોટા ઉદેપુરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે બોટાદમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 55798  કેસ છે. જે પૈકી 54 વેન્ટીલેટર પર છે, જ્યારે 55744 નાગરિકો સ્ટેબલ છે. 8,40,971 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,144 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 2 મૃત્યુ થયા. વલસાડમાં એક, નવસારીમાં એક મોત થયા છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 161 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 1028 લોકોને પ્રથમ અને 4731 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 5679 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 12,277 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 7550 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 7017 લોકોને અપાયો છે.  આજે કુલ 38,446 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,44,83,364 લોકોને રસી અપાઈ છે.