ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 44 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 23  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,710 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  4,93,328 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશમાં 6, કચ્છ 4, જામનગર કોર્પોરેશન 3,  વડોદરામાં 3, વલસાડમાં 3, રાજકોટ કોર્પોરેશન 2, સુરત 2, ભરૂચ 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને નવસારીમાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો હતો.  


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 312  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 306 નાગરિકો સ્ટેબલ છે. 8,16,710 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2543 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 15229 નાગરિકોને રસીનો પ્રથમ અને 117244 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 44909 નાગરિકોને રસીનો પ્રથમ અને 313394 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,93,328 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,62,27,200 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર,  ગીર સોમનાથ, જામનગર,  જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, મહીસાગર,મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ,  સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં અને તાપીમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.