ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, બોટાદ 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 129, સુરત કોર્પોરેશનમાં 97, વડોદરા કોર્પોરેશનમાં 84, રાજકોટ કોર્પોરેશનમાં 57, વડોદરા 26, સુરત-24, રાજકોટ 15, આણંદ 12, ભરૂચ 11, ભાવનગર કોર્પોરેશન 11, દાહોદ 11, પંચમહાલ 11 અને ખેડામાં 10 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 855 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.34 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,73,832 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.