Gujarat Corona Cases update: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આજે નવા 602 કેસ નોંધાયા, ત્રણ લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Jan 2021 08:09 PM (IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 602 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4350 પર પહોંચ્યો છે.
ફાઈલ તસવીર
ગાંધીનગર: કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 602 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4350 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 7439 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,41,372 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 58 દર્દી વેન્ટીલેટર પર છે અને 7381 લોકો સ્ટેબલ છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, બોટાદ 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 129, સુરત કોર્પોરેશનમાં 97, વડોદરા કોર્પોરેશનમાં 84, રાજકોટ કોર્પોરેશનમાં 57, વડોદરા 26, સુરત-24, રાજકોટ 15, આણંદ 12, ભરૂચ 11, ભાવનગર કોર્પોરેશન 11, દાહોદ 11, પંચમહાલ 11 અને ખેડામાં 10 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 855 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.34 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,73,832 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.