ગાંધીનગરઃ દિવાળીનો તહેવાર નજીક આવતા રાજ્યમાં કોરોનાએ માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1120 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3785 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,84,964 પર પહોંચી છે. જો કે, તેની વચ્ચે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટ 91.29 ટકા છે.


રાજ્યમાં આજે કુલ 1038 દર્દીઓેએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધી 1,68,858 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 12,252 એક્ટિવ કેસ છે, 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,321 લોકો સ્ટેબલ છે. રાજ્યામાં આજે 54,624 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 66,80,500 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 181, સુરત કોર્પોરેશનમાં 141, વડોદરા કોર્પોરેશનમાં 88, રાજકોટ કોર્પોરેશનમાં 77, મહેસાણામાં 72, રાજકોટમાં 49, બનાસકાંઠામાં 43, સુરતમાં 42, ગાંધીનગર કોર્પોરેશનમાં 38, પાટણ-38, વડોદરા-37, ગાંધીનગર-28, અમરેલી-21, સુરેન્દ્રનગર-21,સાબરકાંઠા-20, અને અમદાવાદમાં 18 કેસ નોંધાયા હતા.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,97,042 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,943 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 99 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.