રાજ્યમાં આજે 1324 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Aug 2020 10:39 PM (IST)
કોરોના વાયરસથી મહામારી વચ્ચે રાજ્યમાં આજે 1324 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1204 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2869 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14320 એક્ટિવ કેસ છે. કોરોના વાયરસથી મહામારી વચ્ચે રાજ્યમાં આજે 1324 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 67277 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં આજે 169 કેસ નોંધાયા હતા. તેની સામે 340 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 156 કેસ નોંધાયા અને સામે 156 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં મળીને કુલ 1324 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, પાંચમહાલમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 14 લોકોના મોત થયા છે.