ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વન વિભાગમાં ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ રાણાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં વન રક્ષકની ભરતી પ્રક્રિયા થશે. 2018માં 334 વન રક્ષકની ભરતી જાહેર થયા બાદ અટકી પડી હતી. પહેલા જેમણે અરજી કરી હતી તે ઉમેદવારોની વય મર્યાદાને ધ્યાને લીધા વગર ભરતીમાં સામેલ કરાશે. 


તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, વન રક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. વન રક્ષકની 334 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. વન વિભાગની અન્ય 775  જગ્યાઓ પર પણ ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.


ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2502  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 33631 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 199 લોકો વેન્ટીલેટર પર છે. 33432 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1161305 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10716 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 28 લોકોના મોત થયા છે.


આજે 7487 દર્દીઓ રિકવર પણ થયા



બીજી તરફ આજે 7487 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.32 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  28 મોત થયા. આજે 325892 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


આજે કોરોનાના કારણે 28 લોકોના મોત થયા


આજે કોરોનાના કારણે 28 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 3,સુરત 2, રાજકોટ 4, મહેસાણા 2, ભાવનગર કોર્પોરેશન 1, ભરુચ 3, મોરબી 1, નવસારી 1, અમદાવાદ 1, વલસાડ 2, સુરેંદ્રનગર 1 અને દાહોદમાં 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ 1161305  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 96.32 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે સરકાર મજબુતીથી લડી રહી છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 20 ને પ્રથમ અને 18374 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4263 ને પ્રથમ અને 66797 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19043 ને પ્રથમ અને 55587 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 16505 ને પ્રથમ અને 106323 ને બીજો ડોઝ અપાયો હતો. 38980 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 325892 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 100206717 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.