Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ છે.  રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાવાડા તાલુકામાં નોંધાયો છે. અહીં 6.5 ઈચ વરસાદ પડ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કોડિનારમાં પણ 6.5 ઈંચ વરસાદ પડ્યો છે.



ક્યાં કેટલો પડ્યો વરસાદ
દેવભુમી દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઈચથી વધારે વરસાદ
મહિસાગરના કડાણામાં 6 ઈટ જેટલો વરસાદ
જૂનાગઢના માંગરોળમાં 4.5 ઈચ વરસાદ
દ્વારકા તાલુકામાં 4.5 ઈચ વરસાદ
સુરતના ઓલપાડમાં 4 ઈચથી વધારે વરસાદ
પોરબંદરના રાણાવાવમાં 4 ઈચ વરસાદ
સાબરકાઠાના હિમ્મતનગરમાં 4 ઈચ જેટલો વરસાદ
દાહોદના ફતેપુરામાં 4 ઈચ જેટલો વરસાદ




રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી


રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો અમદાવાદમાં પણ શુક્રવારે ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં ભારે વરસાદ વરસી શકે છે.


આવતીકાલે સુરતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ,રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્ચમાં ભારે વરસાદ વરસી શકે છે.


શુક્રવારે સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી,નર્મદા, ભરૂચ અને દિવમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. શનિવારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે, જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.




એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ


ગાંધીનગરમાં મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની અને પાંચ જુલાઈથી દસ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે.. વરસાદની આગાહીને પગલે રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યુ હતુ કે કચ્છમાં ગાંધીનગરથી NDRFની એક ટીમ મોકલવાનો નિર્ણય કરાયો છે.આ સિવાય આણંદથી NDRFની ટીમ વલસાડ પહોંચી છે.. જ્યારે SDRFની 11 ટીમો રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં સ્ટેંડબાય રખાઈ છે. જે પૈકી એક ટીમ પોરબંદર પહોંચી છે.