ગીર-સોમનાથ જિલ્લામાં હીરણ નદીએ કાળો કેર વર્તાવ્યો, અનેક પશૂઓના મોતની દહેશત

સોનારીયા ગામમાં હાલ એવી સ્થિતી છે કે ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવજાત નીસહાય બની છે.

Continues below advertisement

Gir Somanth Rain: ગીરસોમનાથ જિલ્લામાં હીરણ નદીએ કાળો કેર વર્તાવ્યો છે. પ્રભાસ પાટણ ના સોનારીયા ગામમાં સર્વનાશ નોતર્યો છે. આખૂ ગામ અને સીમ વિસ્તાર હીરણ નદિના પૂરથી દરીયો બની ગયા છે. અચાનક રાતે પૂર આવતા ખીલા સાથે બંધાયેલા સંખ્યા બંધ પશૂઓના મોતની દહેશત છે. નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા છે તો કેટલાય પાણીમાં તણાઈ ગયા છે. સોનારીયા ગામમાં હાલ એવી સ્થિતી છે કે ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવજાત નીસહાય બની છે.

Continues below advertisement

વેરાવળ શહેરમાં દેવકા નદીના પૂરનો પ્રવાહ ઘૂસી જતા સ્થળ ત્યા જ્ળ જોવા મળે છે. 

સુત્રાપાડમાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  

સુત્રાપાડામાં અનરાધાર વરસાદના પગલે કુલ 14 ઇંચ  વરસાદ નોંધાયો છે.  ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. 

આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.  હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે.  દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

19, 20 અને 21 જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.  19થી 21 જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે.  સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે.   સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 જબરદસ્ત સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.  

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ઘોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.  બહારપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

Continues below advertisement
Sponsored Links by Taboola