અમદાવાદ: અમદાવાદના  થલતેજ વિસ્તારમાં IPS અધિકારીના પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે થલતેજમાં આવેલા તેમના નિવાસ સ્થાન પર જઈ વધુ તપાસ હાથ ધરી છે.   IPS અધિકારી આર.ટી.સુસરાના પત્નીના આપઘાતનું કારણ સામે નથી આવ્યું. બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.  મૃતક મહિલાના પતિ હાલ વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે. 


IPSના પત્નીએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તે અંગેનું કોઇ કારણ સામે આવ્યું નથી. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં  આવ્યો છે. હાલ આ અંગે પોલીસે ઘરમાં તપાસ હાથ ધરી અને સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે.


સમગ્ર અહેવાલ અનુસાર,  IPS આર.ટી.સુસરાના પત્ની શાલુબેને આપઘાત કર્યો છે. એક મહિના પહેલા જ લગ્નની 31મી વર્ષગાંઠ ઉજવ્યા બાદ હવે તેમણે અચાનક જીવન ટૂંકાવી છે. આ તરફ હજી સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઈ બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.  શાલુબેનની ઉંમર 47 વર્ષ હતી.  બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાયો છે. 


ગઈકાલે સુરતમાં લગ્ન પ્રસંગે ગયા હતા, ત્યાંથી પરત આવ્યા બાદ આ ઘટના બની છે.  આપઘાત કરવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. શાલુબેન અને  IPS સુસરા સુરત લગ્ન પ્રસંગમાં સાથે હતા. ગઈકાલે સુરતથી સુસરા વહેલા આવી ગયા હતા, જોકે શાલુ બેન રાત્રે આવ્યા હતા.