Visavadar Election 2025: આજે રાજ્યની બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કડીમાં બીજેપીની જીત થઈ છે જ્યારે વિસાવગર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની જીત થઈ છે. ગોપાલ ઈટાલીયાની જીત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશન પ્રમુખ ઈસુદાન ગઠવીએ પ્રતિક્રીયા આપી છે.
શું કહ્યું ઈસુદાન ગઢવીએ
વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની નિશ્ચિત જીત ઉપર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વિસાવદરની જનતાનો ખુબ ખુબ આભાર. વિસાવદરની જનતાએ આખા ગુજરાતને સંદેશ આપ્યો છે ભાજપને જો કોઈ હરાવી શકે એમ હોય તો તે આમ આદમી પાર્ટી છે. આ પેટા ચૂંટણી એક યુદ્ધ હતું. ભાજપની સામ-દામ દંડ ભેદની કોઈપણ નીતિ કામ ન આવી. ગોપાલ ઇટાલીયા સહિત આ તમામ યુવા શક્તિની જીત છે છે. અમે અમારી સીટ પાછી જીતી છે. તમામ કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વની મહેનતનું આ પરિણામ છે.
વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યું
વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનું વિધાનસભા પહોંચવાનું નિશ્ચિત છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો 17 હજાર 581 મતથી વિજય થયો છે. વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે AAPને 75,906 મત મળ્યા છે. જ્યારે 21 રાઉન્ડના અંતે ભાજપને 58,325 મત મળ્યા છે, તો બીજી તરફ વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે કોંગ્રેસને 5,491 મત મળ્યા છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં એકલા ઈટાલિયાને 51 ટકાથી વધુ મત મળ્યા છે.
ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા
'અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય રાજકારણમાં વાપસી' - અનુરાગ ધાંડાવિસાવદરમાં AAPની લીડ અંગે, નેતા આશુતોષ ધાંડાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને લખ્યું, "રહે તે હૈ વો ખામોસ અકસર જમાને મેં જીનકે હુમર બોલતે હૈ. પ્રધાનમંત્રીના ગઢ ગણાતા ગુજરાતમાં વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને હરાવીને અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજકારણમાં જબરદસ્ત વાપસી કરી છે."
ચૂંટણી જીત પહેલા ગોપાલ ઈટાલીયાએ કરી હતી ભાવુક પોસ્ટ
આવતીકાલે ચુંટણીનું પરિણામ છે ત્યારે સૌ શુભચિંતકો તેમજ સમર્થકો અને કાર્યકર્તાઓને મારી એક નમ્ર વિનંતી છે, કોઈપણ ચુંટણીમાં હંમેશા હાર અથવા જીત હંમેશા થતી રહે છે. જીતેલો વ્યક્તિ ઉત્સાહ કે ઉન્માદમાં આવી જાય છે અને હારેલો વ્યક્તિ નિરાશા કે વિષાદમાં આવી જાય છે. જો કે ઉન્માદ કે વિષાદ એ ક્ષણિક પરિસ્થિતિ છે પરંતુ આપણા સંબંધો અને વ્યવહાર તો કાયમી હોય છે.
મારી સૌને વિનંતી છે કે, ચુંટણીના વિજય કે પરાજયના પરિણામોને લઈને કોઈનું દિલ દુભાય એવી પોસ્ટ કે કોમેન્ટ ન કરશો. કોઈને ઠેસ પહોંચે કે દુઃખ લાગે કે કોઈને આપણું વર્તન અયોગ્ય લાગે એવું ન કરવું જોઈએ.
આપણો ઉત્સાહ કે આપણી નિરાશા પણ સંયમ સાથે વ્યક્ત કરો એવી સૌને વિનંતી છે. આવતીકાલે હારેલા અને જીતેલા ઉમેદવારના સમર્થકોને અગાઉથી જ શુભકામનાઓ.