અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા નધી રહી છે. કોરોનાના સંક્રમણના કેસોમાં થતા વધારા વચ્ચે જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદા પણ કોરોનાનો ભોગ બન્યા છે.


જીજ્ઞેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. હાલ સુરત ખાતે જીજ્ઞેશ દાદાની સારવાર કરાઈ રહી છે. કથાકાર જીજ્ઞેશ દાદાનું સ્વાસ્થ્ય ખરકાબ હોવાના સમાચાર પ્રસરતાં તેમની તબિયતના સમાચાર પૂછવા માટે પ્રસંશકો એકબીજાને ફોન કરી રહ્યા છે.

જીજ્ઞેશ દાદનું સ્વાસ્થ્ય સારું થાય અને તેમને કંઈ ના થાય એ માટે મહામૃત્યુંજય મંત્રના જપ પણ શરૂ કરવામાં આવ્યા છે. સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા છે. જીજ્ઞેશ દાદા સાથે જોડાયેલા લોકો, પ્રશંસકો, અનુયાયીઓ તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.