શોધખોળ કરો

Gujarat Election : પાટીદાર સમાજ કયા પક્ષ સાથે? નરેશ પટેલે શું આપ્યું મોટું નિવેદન?

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષ માં ફેલાયેલો સમાજ છે. ખોડલધામના નેજા હેઠળ કોઈ પક્ષ ની વાત કરવી એ વ્યાજબી ન ગણાય

નર્મદાઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા. નર્મદા જિલ્લામાં જે વિકાસ થઈ રહ્યો છે તેને વેગ મળતો રહે તેવી પ્રાર્થના નર્મદા નદીને કરી હતી. નર્મદા જિલ્લાનો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.  દરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે અને સંગઠન ને મજબૂત કારવાના ઉદ્દેશથી દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે.

આગામી વિધાનસભા માટે કહ્યું કે પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષ માં ફેલાયેલો સમાજ છે. ખોડલધામના નેજા હેઠળ કોઈ પક્ષ ની વાત કરવી એ વ્યાજબી ન ગણાય. કોઈ પણ સમાજના સારા ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાયને આવે તો ગુજરાતનું ભલું થાય. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે એવું કદી બને નહીં. ચૂંટણીનો માહોલ બને ત્યારે નક્કી થશે કે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થશે કે શું થશે તે.

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગ આપવા આજે રાજ્યની 8 મહાનગરપાલિકા માટે રૂપિયા 50 કરોડની ફાળવણી કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ફાળવણી કરવામાં આવી છે.

 

આ રકમમાંથી મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ જેવી ભૌતિક આંતરમાળખાકીય સુવિધા માટેના કામ હાથ ધરવામાં આવશે.મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો હાથ ધરાશે. મહાનગરોના વિકાસ માટે અત્યાર સુધીમાં રૂ.637.50  કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

 

1) અમદાવાદ મહાનગરપાલિકાને રુ.18.53  કરોડ
2) સુરત મહાનગરપાલિકાને રૂ.15.12 કરોડ
3) વડોદરા મહાનગરપાલિકાને રૂ.5.67 કરોડ
4) રાજકોટ મહાનગરપાલિકાને રૂ.4.48 કરોડ
5) ભાવનગર મહાનગરપાલિકાને રૂ.2.09 કરોડ
6)  જામનગર મહાનગરપાલિકાને રૂ.1.98 કરોડ
7) જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ.1.04 કરોડ 
8) ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.1.07 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

વિવિધ આંદોલનોના હલ માટે સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી
રાજ્યમાં વિવિધ વર્ગ, સમુદાય, સરકારી કર્મચારી યુનિયનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યાં છે. આ નાગે હવે સરકાર સતર્ક થઇ છે. ગુજરાત સરકારે વિવિધ  આંદોલનોના હલ માટે સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી છે. આ કમિટી આંદોલન કરી રહેલા કર્મચારીઓને સાંભળશે.

રાજ્યના કર્મચારીઓની પડતર માગોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી છે. કમિટીમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રિજેશ મેરજાને આ કમિટીમાં સમાવાયા છે. આ સભ્યો રાજ્ય સરકારનાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે. 

રાજ્યના ઘણા સંગઠનો આંદોલનરૂપે પોતાની માગણીઓ રજૂ કરી રહ્યાં છે. આ ઉપરાંત અનેક કર્મચારી સંગઠનોએ વિધાનસભામાં ભાજપ વિરોધી મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે કર્મચારીઓમાં ફેલાયેલી એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'
દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પરSurat Texttile Market Fire: 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓ રડી પડ્યા | Abp Asmita | 27-2-2025Banaskantha Heart Attack: દાંતીવાડા ગ્રામપંચાયતના વીસીનું હાર્ટઅટેકથી મોત Watch VideoKutch: પઠાણી ઉઘરાણી કરતા કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટી પાસા હેઠળ કરી દેવાયા જેલ ભેગા, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'
દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
March 2025 Festival List: માર્ચમાં હોળી સિવાય આ તારીખે આવશે આ મુખ્ય તહેવાર, કરી લો નોટ
March 2025 Festival List: માર્ચમાં હોળી સિવાય આ તારીખે આવશે આ મુખ્ય તહેવાર, કરી લો નોટ
Health Tips: શું તમારા બાળકો પણ ટીવી કે ફોન જોતા જોતા ખાય છે? જાણો તે કેટલું ખતરનાક છે
Health Tips: શું તમારા બાળકો પણ ટીવી કે ફોન જોતા જોતા ખાય છે? જાણો તે કેટલું ખતરનાક છે
Mahakumbh 2025: મહાકુંભથી છપ્પરફાડ કમાણી, 45 દિવસમાં 4 લાખ કરોડનો કારોબાર
Mahakumbh 2025: મહાકુંભથી છપ્પરફાડ કમાણી, 45 દિવસમાં 4 લાખ કરોડનો કારોબાર
Earthquake: રાતના અંધારામાં ધરતી ધ્રુજી, ભારતના આ રાજ્યમાં આવ્યો ધરતીકંપ, લોકોમાં ફફડાટ
Earthquake: રાતના અંધારામાં ધરતી ધ્રુજી, ભારતના આ રાજ્યમાં આવ્યો ધરતીકંપ, લોકોમાં ફફડાટ
Embed widget