વલસાડઃ દેશમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભારત સરકાર દ્વારા લોકડાઉન 17મી મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ સાથે લોકડાઉનને લઈને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જિલ્લાઓને વિભાજીત કર્યા છે અને ઓરેન્જ તેમજ ગ્રીન ઝોનમાં અમુક છૂટછાટ આપી છે. ગુજરાત નજીકના સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવનો પણ ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે.


આ સંઘ પ્રદેશોમાં લગ્ન સમારંભની છૂટ આપવામાં આવી છે. જો યોગ્ય બાંહેધરી સાથે પરમીશન માંગવામાં આવશે તો 50 લોકોને લગ્ન સમારંભમાં બોલાવી શકાશે. દરેક મહેમાનની માહિતી પણ આપવી પડશે. નિયમોના પાલન સાથે 50 લોકો વચ્ચે લગ્ન પ્રસંગ યોજી શકાશે.