ભાવનગરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મુંબઈથી આવેલા લોકોમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતાં જેમાંથી 7 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મુંબઈથી આવેલા તમામ લોકોને હાલ સમરસ હોસ્ટેલ ખાતે આઈશોલેશન કરવામાં આવ્યાં હતાં. પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ ભાવનગરમાં કુલ પોઝિટિવ સંખ્યા 91 પર પહોંચી છે જ્યારે 9 લોકોનાં મોત નિપજ્યાં છે.