કચ્છ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પેપર ફૂટવાથી લઈને ચોરી થવાની ઘટના સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટના સામે આવી હતી તો બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાની એક પ્રાથમિક શાળામાંથી પેપર ચોરી થઈ ગયા છે. તો હવે કચ્છની એક પ્રાથમિક શાળાના ધો 6 અને 8 ના પેપર વિતરણમાં છબરડો સામે આવ્યો છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સામાજિક વિજ્ઞાનના પેપર હતુ તેની જગ્યાએ ગણિતનું પેપર આપી દેવાતા બધા ચોંકી ગયા હતા. ભૂજ અને મુંદ્રાની 6 સ્કુલોમાં સામાજિક વિજ્ઞાનના પેપરની જગ્યાએ ગણિતના પેપર નીકળ્યા વિદ્યાર્થીઓ મુંજાયા હતા. મુંદ્રાની 5 સ્કુલ અને ભૂજની 1 સ્કુલમાં અલગ વિષયના પેપર નીકળ્યાની ફરિયાદ થતા હોબાળો મચી ગયો હતો. વિવાદ વધતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે.  તો બીજી તરફ ડીપીઈઓએ એજન્સી સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. પરીક્ષા હાલ રાબેતા મુજબ ચાલુ છે.


ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર


ગાંધીનગર: કોરોનાકાળ બાદ હવે પરીક્ષાની સિઝન ચાલી રહી છે. એક પછી એક પરીક્ષાઓ લેવાઈ રહી છે. જો કે વચ્ચે અભ્યાસમાં લાંબો ગેપ આવી જતા ઘણા વિદ્યાર્થીઓ તાણ પણ અનુભવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો પણ પરીક્ષાને લઈને તાણ અનુભવતા હોય છે. જેને લઈને ગૌણ સેવા પસંદગી મંડળની આ રવિવારે લેવાનાર બિન સચિવાલય સંવર્ગની પરીક્ષાના ઉમેદવારોને પરીક્ષા પૂર્વે કે પરીક્ષા પછી તાણ ચિંતા ભય ડર જેવી સમસ્યાઓ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર છે 18002333330. જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને 24 કલાક કાર્યરત છે. આ જીવન આસ્થા માનસિક આરોગ્ય હેલ્પલાઇન નંબર ઉમેદવારોના મનમાં રહેલી ચિંતા દૂર કરશે. હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.


ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે એક્ઝામ


કોરોનાને લઈ આ વર્ષે યુનિવર્સિટી કોલેજોમાં પરીક્ષા ઉનાળુ વેકેશનમાં જ યોજાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા રીપિરટર પરીક્ષા અને યુજી-પીજી સેમેસ્ટર-2ની પરીક્ષાઓ મે મહિનામાં લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આલા કાર્યક્રમ મુજબ 10મી મથી યુજી-પીજીના વિવિધ કોર્સના સેમેસ્ટર-પાંચ અને કેટલાક કોર્સમાં સેમેસ્ટર3ની રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જના પરીક્ષા ફોરેમ ભરવાની લેટ ફી સાથેની મુદત 30 એપ્રિલ છે. આ ઉપરાંત 26 મેથી બી.એ, બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી સેમેસ્ટર -2 અને એમ.એ, એમ.કોમ, એમ.એડ સહિતના પીજી કોર્સના સેમેસ્ટર-2ની પરીક્ષાઓ શરૂ થશે. 26 મેથી વિવિધ 30 જેટલા કોર્સમાં પરીક્ષાઓ શરૂ થશે.