અમદાવાદઃ ગુજરાતમાં હેલ્મેટ માટેનો નવો નિયમ 1 જૂનથી અમલમાં આવશે. જે પ્રમાણે IS 4151 વાળું જ હેલમેન્ટ માન્ય ગણવા આદેશ કરાયો છે. આથી જો તમે આ પ્રમાણેનું હેલમેટ નહીં પહેર્યું હોય, તો હેલમેટ પહેર્યું હોવા છતાં માન્ય ગણવામાં નહીં આવે અને તમારે દંડ ભરવો પડી શકે છે.


અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરમાં પણ 1 જૂન નવો નિયમ અમલી બનશે. 1 જૂનથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણવામા આવે.