Patan: રાજ્યમાં રખડતા ઢોરનો આતંક ફરી સામે આવ્યો છે. પાટણમાં રખડતા ઢોરે ભાજપના નેતાને અડફેટે લેતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. પાટણ ભાજપનાં પૂર્વ પ્રમુખ  સુરેશ પટેલ રખડતા ઢોરનાં હુમલાનો શિકાર બન્યા હતા. તેમને રખડતા ઢોરે અડફેટે લેતા હોસ્પિટલ ખસેડયા હતા. તેઓ રતનપોળ વિસ્તારમાં પસાર થતાં હતા ત્યારે હુમલો થયો હતો. સુરેશ પટેલ ખુદ પાટણ નગર પાલિકાના છે પૂર્વ સુધરાઈ સભ્ય રહી ચુક્યા છે.  




અમદાવાદના મણિનગરમાં હોસ્પિટલમાંથી માતા-પુત્રની લાશ મળવા મુદ્દે શું થયો મોટો ખુલાસો ? જાણો વિગત


અમદાવાદના મણિનગરમાં હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે મુજબ મણિનગરની કર્ણ હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે કામ કરતો મનસુખ પૈસાની લાલચમાં ડોક્ટરની ગેરહજારીમાં ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરતો હતો. તે સીસીટીવી બંધ કરી દર્દીઓની સારવાર કરતો હતો. આ પહેલા અગાઉ પણ તે ડોક્ટરની જાણ બહાર અનેક દર્દીઓની સારવાર કરી ચૂક્યો છે.


ભુલાભાઈ પાર્ક પાસે હોસ્પિટલમાંથી સૌથી પહેલા 30 વર્ષીય પરિણીતાની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળી આવી હતી. ત્યાર બાદ બેડ નીચેથી માતાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગઇ હતી.


તપાસમા જાણવા મળ્યું છે કે માતા અને દીકરી સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. દીકરીની લાશ મળ્યા બાદ તેમની સાથે માતા ક્યાં ગયા તેની પોલીસે તપાસ કરતા માતાની પણ લાશ હોસ્પિટલમાંથી મળી આવી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં ભારતી વાળા અને તેમની માતા ચંપા બેન હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. પોલીસે હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવકની અટકાયત કરી છે. કેમ કે આ વ્યક્તિ મૃતકનો પરિચીત હતો.  પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા ભારતી વાળાને ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


કાગડપીઠ પોલીસે દીકરી અને માતાની હત્યાની આશંકાના પગલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતીની લગ્ન છ વર્ષ અગાઉ થયા હતા. યુવતી તેના પિયરમાં રહેતી હતી. યુવતી કાનની સારવાર માટે આવતી હતી. પોલીસે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી રહેલા અને યુવતીના પરિચિત મનસુખ નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.