PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, આજે દ્વારકામાં પીએમ મોદીએ સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન કર્યુ હતુ. ખાસ વાત છે કે, અહીંના લોકોની માંગને ધ્યાનમાં રાખીને સિગ્નેચર બ્રિજનું નવુ નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદીએ બપોરે દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધી હતી. લક્ષદ્વિપ બાદ  પીએમ મોદીએ દ્વારકાના દરિયામાં પણ સ્કૂબા ડાઈવિંગ કર્યું  હતું. દરિયામાં ડૂબેલી સોનાની પૌરાણિક નગરીના દર્શન કર્યા હતા.  પૌરાણિક અવશેષો નિહાળ્યા હતા. જેને પ્રધાનમંત્રીએ  દિવ્ય અનુભવ ગણાવ્યો હતો. પંચકૂઈ બીચ પરથી કરેલા સ્કૂબા ડાઈવિગનો અનુભવ PMએ X પર  શેર કર્યો છે. 



દ્વારકાથી બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ માટે નરેન્દ્ર મોદી આજે દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. પીએમ મોદીએ દ્વારકાધીશની પૂજા કરી હતી.  બાદમાં પંચકૂઈ બીચ પાસે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોંચ્યા હતા. કમર પર મોરપિચ્છ  રાખી પાણીમાં તેઓ ઊતર્. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તસવીરો એક્સ પર શેર કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો.ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.   


પીએમ મોદીએ જનસભાને સંબોધતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ભરપુર પ્રસંશા કરી હતી, પીએમ મોદી દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, મને આ બ્રિજ અંગે પબુભા માણેક અનેકવાર રજૂઆત કરતા હતા, પીએમે કહ્યું કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે પબુભા માણેક બ્રિજ અંગે જ રજૂઆત કરતા હતા, પબુભા માણેકે સંકલ્પ લીધો હતો કે બ્રિજનું કામ કરવું જ છે, અને આજે જ્યારે આ બ્રિજનું કામ છે ત્યારે પબુભા સૌથી વધારે ખુબ છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા જાહેર સભામાં પહોંચ્યા હતા. તે સમયે મોટી જનમેદની એ મોદી મોદી નાં નારા લગાવ્યા હતા. મોદી ને સાંભળવા આતુર લોકો એ ભારત માતા કી જયનાં પણ નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, દ્વારકાની ભૂમિને નમન. ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ અર્પણ કરી ધન્યતા અનુભવી. અનેક વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ. સુદર્શન સેતુના લોકાર્પણની તક મળી. સુદર્શન સેતુ એ એન્જિનિયરિંગનો કમાલ છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું,  દ્વારકામાં આસ્થાના અનેક કેંદ્રો આવેલા છે. આજે દ્વારકાધામમાં દિવ્યતાનો અનુભવ થયો. આજે દરિયામાં પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા. અહીં જે થાય છે તે દ્વારકાધીશની ઈચ્છાથી થાય છે.