અમરેલીઃ અમરેલીના સહકારી આગેવાનનું નિધન થયું છે. APMCના ચેરમેન અને તાલુકા સહકારી સંઘના પ્રમુખ મોહનભાઇ નાકરાણીનું નિધન થયું છે. તેમના નિધનને પગલે સર્વત્ર શોકની લાગણી ફરી વળી છે. મોહનભાઈ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા. કોંગ્રેસના સહકારી આગેવાનના અવસાનથી શોકનો માહોલ છવાયો છે.