રાજ્યમાં સ્કૂલ અને કોલેજ ફરી ખોલવા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે  શાળા કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ગત વર્ષની જેમ આ વર્ષે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે. પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ અને ત્યારબાદ 9,8,7 અને 6 ધોરણ મુજબ શાળા ખોલવા અંગે નિર્ણય લેવાશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત ગત્ત વર્ષના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં શૈક્ષણિક સંસ્થાઓ લગભગ છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી બંધની સ્થિતિમાં છે. 


રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે ફરી એકવાર શાળાઓ અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના હવે લગભગ કાબુની સ્થિતીમાં છે. શાળો કોલેજો શરૂ કરવા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નિર્ણય લેવાશે. પ્રથમ કોલેજ ત્યાર બાદ ધોરણ 12થી માંડીને ધોરણ 1 સુધીનાં વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવામાં આવશે. 


સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી









આવતીકાલથી એટલે કે 4 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. 4 અને 5 તારીખે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો 6 અને 7 જુલાઈ એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


 


મહત્વનું છે કે જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો નથી જેને કારણે ગુજરાતમાં 29% જેટલી ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 140.1 એમએમ જેટલો વરસાદ વરસવો જોઈતો હતો. જેની સરખામણીએ રાજ્યમાં માત્ર 101.1% જ વરસાદ વરસ્યો છે. આ સાથે જ 3 જુલાઈ સુધીમાં રાજ્યના 23 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.


રાજ્યમાં સૌથી વધુ વરસાદની ઘટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી છે. જ્યારે સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યાર સુધીમાં પડ્યો છે. હજુ પણ ગુજરાતને સારો વરસાદ મળે તેવી કોઈ વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય નથી થઈ. જેને કારણે ગુજરાતના ખેડૂતોને વાવણી લાયક સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.