સુરેન્દ્રનગરનું પાટડીમાં એક ધાર્મિક કાર્યક્રમમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે. ધાર્મિક કાર્યક્રમમા ડી.જેના તાલે અબીલ ગુલાલની છોળો ઉડાવીને ઉજવણી કરવાંમાં આવી રહી છે. આ ઉજવણી સમયે ન તો કોઈએ માસ્ક પહેર્યુ કે ન જળવાયુ સોશલ ડિસ્ટન્સ. આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ તે પાટડી પોલીસ મથકેથી માત્ર 300 મીટરના અંતરે કરવામાં આવ્યુ છે. ત્યારે સવાલ એ છે કે નાગરિકો ક્યારે સુધરશે. ક્યા સુધી આ પ્રકારે કાર્યક્રમનું આયોજન થતુ રહેશે. જો સતત આ પ્રકારની બેદરકારી કરવામાં આવશે તો કોરોનાની ત્રીજી લહેર આવવાનું નક્કી જ છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં 30 જુલાઈના રોજ કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 29 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,43,742 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


અત્યાર સુધી 260 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 255 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,514 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 29 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં રસીકરણ


રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 133 લોકોને પ્રથમ અને 6961 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 66532 લોકોને રસીનો પ્રથમ અને 52139 લોકોને રસીનો બીજો ડોઝ  અપાયો હતો. 18-45 વર્ષના 190462 લોકોને રસીનો પ્રથમ અને 27515 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં ગઈકાલે કુલ 3,43,742 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,29,58,203 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.


ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ


અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 3, ભરુચ 2, જૂનાગઢ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1,  દાહોદ 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ 1, મોરબી 1,  વડોદરા 1  કેસ નોંધાયો હતો.


 અહીં ન નોંધાયો એક પણ કેસ


અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ,  મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત,   સુરેન્દ્રનગર  તાપી અને વલસાડમાંમાં  કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.