ભૂજ: કચ્છના ગાંધીધામમાં કરોડો રુપિયાની લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 2 કરોડથી વધુની રકમ ભરેલી કેશવાન લઈ એક શખ્સ ફરાર થઈ ગયો હતો.   એક શખ્સ બેંકની કેશવાન ઉઠાવી ગયો હતો. સ્ટેટ બેંક નજીકથી કેશવાન હંકારીને ફરાર થઈ ગયો હતો. જો કે ગણતરીની મીનીટોમાં જ કેશવાન મળી આવી હતી.   પોલીસે એક શખ્સને પકડી પાડ્યો છે.  કેશવાનમા બે કરોડથી વધુની રકમ હોવાનો અંદાજ છે.  આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 




ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી 2 કરોડથી વધુની રોકડ રૂપિયા ભરેલી કેશવાનને એક શખ્સ લૂંટના ઈરાદે હંકારી જતા ભારે દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક કાર્યવાહીના પગલે કેશવાનમાં રહેલી કરોડોની રોકડ રકમની લૂંટ થતાં બચી ગઈ હતી. 


હવે ગુજરાત પોલીસ હેરાન કરે તો આ નંબર પર કરો ફરિયાદ, રાજ્ય સરકારે નંબર કર્યો જાહેર


પોલીસ દમન અને પોલીસ સામેની ફરિયાદ માટે રાજ્ય સરકારે અલગ નંબર જાહેર કર્યો છે. રાજ્યના એડવોકેટ જનરલે હાઇકોર્ટ સમક્ષ માહિતી આપી છે. તમામ ઈમરજન્સી નંબર www. Indian helpline number.com વેબસાઈટ પર ઉપલબ્ધ કરાશે.


સરકારે એફિડેવિટ કરીને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે 1 4 4 4 9 નંબર જાહેર કર્યો છે. આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવા માટે સરકારે કોર્ટને બાંહેધરી આપી છે. નંબર એક્ટિવેટ થતા લોકોને તેની જાગૃતિ મળી રહે તે માટે જાહેરાત કરવામાં આવશે. પોલીસ સામે ફરિયાદ માટેનો નંબર 24*7 કાર્યરત રહેશે. રાજ્ય સરકારે બીજા હેલ્પલાઇન નંબર પણ કોર્ટ સમક્ષ જણાવ્યા છે. તેમાં 1091 મહિલા હેલ્પલાઇન નંબર, 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે હાલમાં કાર્યરત છે. આ ઉપરાંત દેશ સ્તરની જુદી જુદી હેલ્પલાઇન નંબરને પણ કાર્યરત કરવામાં આવશે. આગામી સુનાવણી 16 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.


નોંધનીય છે કો, થોડા સમય પહેલા અમદાવાદ પોલીસે તોડ કર્યો હતો. અમદાવાદમાં સોલામાં તોડકાંડ કેસ બાદ પોલીસ સતર્ક બની છે. હવે પોલીસ જ પોલીસનું રિયાલીટી ચેંકીગ કરશે.   DCP કક્ષાના અધિકારીઓ ખાનગી માણસોને મોકલી પોલીસના વર્તન અને પૈસાની ઉઘરાણીને લઈને તપાસ કરાવશે.  સોલામા પોલીસ તોડકાંડ મામલે હાઈકોર્ટેમા સુઓમોટો દાખલ થતા હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીને પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માગ્યો છે. જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્રારા હવે પોલીસની રિયાલીટી ચેક કરવામા આવશે. 


જેમા એરપોર્ટથી એસપી રીંગ રોડ પર મુસાફરોને અટકાવીને પોલીસ દ્રારા પૈસાની ઉઘરાણીની ફરિયાદને લઈને હવે પોલીસ અધિકારી ખાનગી માણસોને સાથે રાખીને છટકુ ગોઠવશે. મહત્વનુ છે કે સોલા પોલીસ તોડકાંડને લઈને  પોલીસ કમિશ્નર દ્રારા શહેરમા રાત્રિના સમયે ફરજ બજાવતા પોલીસ જવાનોનુ ચેંકીગ કરવાનો આદેશ આપવામા આવ્યો છે. જેને લઈને હવે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પર નજર રાખશે.  જેથી પોલીસમા વધી રહેલા તોડકાંડ પર નિયતંત્ર લાવીને પોલીસની છબી સુધારવા માટે એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે.