રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત છે. હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ 29 ટકા જેટલો  વરસાદ વરસ્યો છે. જો કે રાજ્યના 7 જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ છે. તાપી, ડાંગ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, પોરબંદર અને દાહોદમાં ઓછો વરસાદ નોંધાયો છે. 


રાજ્યમાં  2 થી 4 વાગ્યા સુધીમાં 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બે કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વરસાદ નોંધાયો છે.  ભાવનગરના મહુવામાં બે કલાકમાં દોઢ ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો.  પાટણના હારીજમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.  આણંદના તારાપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના પોસીનામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 


અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


રાજ્યમાં સારો વરસાદ થવાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કર્યો છે. ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર વધુ કર્યું છે. જો કે આ વર્ષે ગુવારનું ઓછું વાવેતર જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 99 હજાર 382 હેક્ટરમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસનું વાવેતર કર્યું છે. તો મગફળીનું કુલ 94 હજાર 518 હેક્ટરમાં વાવણી થઈ છે.


 


ચાલુ વર્ષે તમાકુની વાવણી પણ ઓછી જોવા મળી રહી છે. આ વર્ષે માત્ર 10 હેક્ટરમાં જ તમાકુંનું વાવેતર થયું છે. ગયા વર્ષે 611 હેક્ટરમાં વાવેતર થયું હતું. એક હજાર 44 હેક્ટરમાં ધાન્ય પાકોની વાવણી થઈ છે. તેમાં 625 હેક્ટરમાં કઠોળનું વાવેતર કરાયું છે. એક લાખ 21 હજાર 941 હેક્ટરમાં ગવાર, શાકભાજી, ઘાસચારો, તમાકુંનું વાવેતર થયું છે. વરસાદના પ્રારંભમાં જ 95 હજાર 144 હેક્ટરમાં તેલિબીયાનું વાવેતર થયું છે.