ગાંધીનગરઃ ગુજરાતમાં ઓમિક્રૉનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રૉનના વધુ નવા 3 કેસ નોંધાયા છે, આ સાથે રાજ્યમાં ઓમિક્રૉનના પૉઝિટીવ કેસોના આંકડો વધીને હવે 10 પર પહોંચી ગયો છે. માહિતી પ્રમાણે, આ જે નવા ત્રણ દર્દીઓ સામે આવ્યા છે, તે ગાંધીનગર, સુરત અને આણંદમાંથી નોંધાયા છે. 


ગત મોડી રાત્રે ગાંધીનગરમાં ઓમિક્રૉનનો એક કેસ પૉઝિટીવ મળ્યો  હતો. ગાંધીનગરના કેસમાં દર્દી લંડનથી અઠવાડિયા પહેલા આવ્યો હતો. આ સાથે  ગુજરાતમાં કેસોની સંખ્યા સતત વધારો થઇ રહ્યો છે.


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?


ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 68  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 74 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,819 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 2,42,710 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશન 12, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, આણંદ 4, નવસારી 4, ખેડા 3, વડોદરા 3, દેવભૂમિ દ્વારકા 2,  વલસાડ 2,  ભાવનગર કોર્પોરેશનમાં  1,  ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, મહેસાણા 1, પાટણ 1, રાજકોટ 1, સુરત 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 575  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 569 નાગરિકો સ્ટેબલ છે. 8,17,819  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4ને પ્રથમ અને 756 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 6600 લોકોને પ્રથમ અને 56603 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23048 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 155699 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,42,710 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,69,75,836 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને તાપીમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.