ગાંધીનગર:  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર હાલ યથાવત છે ત્યારે ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીનો દોર શરૂ કર્યો છે. ગુજરાતમાં 9  IAS  અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 


સાબરકાંઠા કલેક્ટર તરીકે એચકે કોયાની નિમણૂંક કરાઈ છે.  એએમ શર્માને ડાંગ આહવા કલેક્ટર તરીકે નિમાયા છે, ડીએસ ગઢવીને સુરત ડીડીઓ તરીકે બદલી અપાઈ છે. કે એલ બચાણી ડીડીઓ ખેડા તરીકે બદલી કરવામાં આવી છે.  ડીડી કાપડીયાની વ્યારા ડીડીઓ તરીકે બદલી કરવામાં આવે છે. 






જ્યારે કેડી લાખાણીની મહિસાગર ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.  પી ડી પલસાણાની  ડીડીઓ નર્મદા તરીકે બદલી કરાઈ છે. એ બી રાઠોડને પંચમહાલના ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે.  રવિંદ્ર ખતાલેની ડીડીઓ ગીર સોમનાથ તરીકે બદલી કરાઈ છે.  


રાજ્યમાં લાંબા સમય બાદ 9 આઈએએસ ઓફિસરની બદલી કરવામાં આવી છે. કોરોનાના કારણે આઈએએસ અધિકારીઓની બદલીઓ અટકી પડી હતી. લાંબા સમય પછી ગુજરાતમાં સરકારી અધિકારીઓનો બદલીઓનો દોર શરૂ થયો છે. જો કોરોનાની પરિસ્થિતિ થાળે પડશે તો ફરીથી મોટાપાયે બદલી શરૂ કરવામાં આવશે તેવુ કહી શકાય છે. કલેક્ટર અને ડીડીઓ બાદ હવે સચિવાલયના સુધીના ઉચ્ચ અધિકારીઓની બદલી પણ થાય તેવી શક્યતા છે.