Loksabha Election 2024:ચૂંટણી નહિ લડવાનો નિર્ણય કર્યાં બાદ રંજનબેન ભટ્ટે વ્યથા કરી વ્યક્ત, હું વ્યથિત......

ગુજરાતની લોકસભાની વડોદરાની બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. 23 માર્ચ શનિવારે સવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્રારા રંજન બને ભટ્ટે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો

Continues below advertisement

Loksabha Election 2024: ગુજરાત લોકસભાની વડોદરાની બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે લોકસભાની વડોદરાની બેઠક માટે રંજનબેન ભટ્ટના નામ પર મહોર લગાવી હતી. જો કે રંજનબેને આજે સવારે સોશિયલ મીડિયા દ્રારા ચૂંટણી નહિ લડવાનો નિર્ણય જાહેર કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. રંજબેને એકસ પર પોસ્ટ કરીને ચૂંટણી મેદાન છોડવાની જાહેરાત કરી હતી.

Continues below advertisement

સોશિયલ મીડિયા પોસ્ટ બાદ  એબીપી અસ્મિતા સાથે રૂબરૂ થતાં તેમણે ચૂંટણી ન લડવાના કારણો રજૂ કર્યાં હતાં. એબીપી અસ્મિતા સાથે વાત કરતાં તેમણે પોતાની વ્યથા રજૂ કરી હતી. રંજન બેને જણાવ્યું કે, “ લોકસભાના ચૂંટણીના ઉમેદવાર માટે નામ જાહેર થયાં બાદ સતત અનેક ગંભીર આક્ષેપ મુકવામાં આવી રહ્યાં હતા. જેને લઇને મન વ્યથિત હતું. આક્ષેપમાં કહેવામાં આવ્યું હતું કે મારા દિકરાને ઓસ્ટ્રેલિયામાં મોલ છે. પરંતુ મારા દીકરાને ટપરી પણ નથી. આવા અનેક ગંભીર આક્ષેપથી મન વ્યથિત થઇ જતાં અંગત કારણોસર  ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યા અને વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ પણ તેમની પસંદગી પર અનેક સવાલો ઉભા કર્યાં હતા. જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનની કામગીરીને લઇને અનેક ગંભીર સવાલ ઉભા કર્યાં હતા. જ્યારથી રંજન બેનનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું ત્યારથી વિવાદનો વંટોળ જોવા મળી રહ્યું હતું.

તો બીજી તરફ આજે સાબરકાંઠાથી  ભીખાજી ઠાકોરેએ પણ ચૂંટણી લ઼ડવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ભીખાજીની અટકને લઈને   વિવાદ શરૂ થયો હતો. ભીખાજીની અટક ઠાકોર કે ડામોર તેના વિવાદ સર્જાયો હતો. આખરે વિવાદના વંટોળ બાદ ભીખાજીએ લોકસભાની ચૂંટણી લડવાથી પીછેહઠ કરતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

 

 

 

 

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola