ગાંધીનગર:ગુજકેટની પરીક્ષામાં તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા ટાઇમ ટેબલ મુજબ 2જી એપ્રિલના બદલે 31મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાશે , જુની તારીખ જે ગૂજકેટની પરીક્ષાની જાહેર કરવામાં આવી હતી તે દરમિયાન CBSEની પરીક્ષા હોવાના કારણે પરીક્ષાની તારીખમાં  ફેરફાર કરવામાં આવ્યો છે.




શિક્ષણ વિભાગે  જાહેર કરેલા  પરિપત્ર મુજબ વર્ષ 2024 માટે ગુજકેટની પરીક્ષા તારીખ 2 એપ્રિલ  મંગળવારના રોજ યોજાવાની હતી પરંતુ આ જ  દિવસે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. નવા ટાઇમ ટેબલ મુજબ  હવે ગુજકેટની પરીક્ષા 31 માર્ચ 2024ના રોજ લેવાશે.