Hindenburg Report On Adani: સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રુપ પરના હિંડનબર્ગના રિપોર્ટ પર મીડિયાના કવરેજ પર પ્રતિબંધ લગાવવા માટે એક અરજી કરવામાં આવી હતી. કોર્ટે શુક્રવારે (24 ફેબ્રુઆરી) આ અરજીને ફગાવી દીધી હતી. ભારતના ચીફ જસ્ટિસ ડી વાઇ ચંદ્રચૂડે કહ્યું હતું કે તેઓ મીડિયા પર પ્રતિબંધ લગાવી શકતા નથી. અમે ફક્ત આ બાબતમાં અમારો ચુકાદો આપીશું. આ અરજી વકીલ એલએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી.


અગાઉ, 17 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ તરફથી પબ્લિશ રિપોર્ટના સંબંધમાં ચાર અરજીઓની બેચમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આમાં, અદાણી જૂથ પર છેતરપિંડીનો આરોપ હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપને 100 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું.


હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ તપાસની માંગ


અરજી દાખલ કરનારા વકીલ એલએલ શર્માએ પણ સેબી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને ભારતમાં તેના સાથીદારો વિરુદ્ધ તપાસ કરવા અને એફઆઈઆર ફાઇલ કરવા માંગ કરી છે. આની સાથે શર્માએ લિસ્ટેડ કંપનીઓને લગતા મીડિયા અહેવાલોને રોકવા માટે એક ગેગ આદેશ પણ માંગ્યો હતો. ભારતના ચીફ જસ્ટિસ અને ન્યાયાધીશ પીએસ નરસિંહા અને જેબી પારડીવાલાની બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે. તેમણે અગાઉ 17 ફેબ્રુઆરીએ યોજાયેલી સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, કોર્ટ પોતે એક સમિતિની નિમણૂક કરશે.


Layoffs in India: વધુ એક મલ્ટીનેશનલ કંપનીએ ભારતમાં કરી છટણી, જાણો કેટલા કર્મચારીઓની નોકરી ગઈ


Layoffs in India: વૈશ્વિક અને ભારતમાં છટણીનો તબક્કો ચાલુ છે. આઈટી સેક્ટરના દિગ્ગજોથી લઈને સ્ટાર્ટઅપ સુધીના હજારો કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. હવે આ યાદીમાં વધુ એક કંપનીનું નામ જોડાયું છે. આ કંપનીએ ભારતમાં તેના 300 કર્મચારીઓને કાઢી મૂક્યા છે.


કંપની દ્વારા છેલ્લા અઠવાડિયા દરમિયાન જ આ છટણી કરવામાં આવી છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, જર્મન ટેક્નોલોજી ફર્મ SAP લેબ્સે ભારતના કેન્દ્રોમાંથી કર્મચારીઓની છટણી કરી છે. કર્મચારીઓને બેંગ્લોર અને ગુરુગ્રામ ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે કેન્દ્રો બંધ થવાને કારણે આ છટણી થઈ છે.


આ કર્મચારીઓના પગારમાં ઘટાડો


SAP લેબ્સમાં કામ કરતા કેટલાક કર્મચારીઓના પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આમાં 10 થી 15 વર્ષનો અનુભવ ધરાવતા કર્મચારીઓ છે, છટણીને બદલે પગાર પેકેજમાં કાપ મુકવામાં આવ્યો છે. કંપનીએ છટણી અંગે કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ પ્રવક્તાએ કંપની વિશે કહ્યું કે છેલ્લા બે વર્ષથી કંપની સારી વ્યૂહરચના સાથે કામ કરી રહી છે અને નફા પર કામ કરી રહી છે અને ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડી રહી છે