Air India Vistara Merger: એર ઈન્ડિયા (Air India) અને વિસ્તારા (Vistara) એરલાઈન્સના મર્જરની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આ બંને એરલાઈન્સનું મર્જર આ વર્ષે પૂર્ણ થવાનું છે. આ બંને એરલાઈન્સમાં લગભગ 18 હજાર કર્મચારીઓ કામ કરે છે. તેમાંથી 500 થી 600 કર્મચારીઓ આ મર્જરનો ભોગ બનવાના છે. હવે એર ઈન્ડિયાએ આ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) શરૂ કરી છે. આ તમામ કાયમી ગ્રાઉન્ડ સ્ટાફનો ભાગ છે.


વિસ્તારા અને એર ઈન્ડિયા આ વર્ષે મર્જ થશે


ટાટા ગ્રુપ (Tata Group)  અને સિંગાપોર એરલાઈન્સનું (Singapore Airlines)  સંયુક્ત સાહસ વિસ્તારા એરલાઈન્સ આ વર્ષના અંત સુધીમાં એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે. એર ઈન્ડિયાના એક અધિકારીએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું કે મર્જર પછી આટલા ગ્રાઉન્ડ સ્ટાફની જરૂર નહીં રહે. તેથી ગ્રાઉન્ડ સ્ટાફને VRS આપવામાં આવી રહ્યું છે.


કર્મચારીઓ VRS અને VSS લઈ શકશે


એર ઈન્ડિયાએ ગ્રાઉન્ડ સ્ટાફને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે અમે એર ઈન્ડિયામાં ઓછામાં ઓછી 5 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) અને તેનાથી ઓછી સેવા આપનારા કર્મચારીઓ માટે વોલંન્ટરી સેપરેશન સ્કીમની ઓફર કરી રહ્યા છીએ. એર ઈન્ડિયાએ હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. એર ઈન્ડિયાએ તેના મેસેજમાં કહ્યું કે પાયલટ અને કેબિન ક્રૂ સિવાયના તમામ કાયમી ગ્રાઉન્ડ સ્ટાફ આ યોજનાઓનો લાભ લઈ શકે છે. બંને યોજનાઓનો લાભ 16મી ઓગસ્ટ સુધી મેળવી શકાશે.


AIX કનેક્ટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ મર્જ થશે


સૂત્રોએ જણાવ્યું હતું કે બંને એરલાઇન્સ શક્ય તેટલા લોકોને જાળવી રાખવાના પ્રયાસો કરી રહી છે. કેટલાક કર્મચારીઓને ટાટા ગ્રુપની અન્ય કંપનીઓમાં નોકરી આપવામાં આવી છે. જો કે, મર્જરને કારણે હવે કેટલીક પોસ્ટની જરૂર નથી. આ સાથે એર ઈન્ડિયાની પેટાકંપની AIX કનેક્ટ ((AIX Connect)) અને એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) નું પણ મર્જર કરવામાં આવી રહ્યું છે. આ બંને સાથે મળીને મોટા બજેટની એરલાઇન બનશે.