India-Pakistan conflict: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને કારણે બંધ કરાયેલા ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ તાત્કાલિક અસરથી ફરી શરુ કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં એક નોટમ (નોટિસ ટુ એરમેન) જારી કરવામાં આવી છે. ઉપરાંત, 25 હવાઈ માર્ગો ફરીથી ખોલવામાં આવ્યા છે. અગાઉ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને અન્ય ઉડ્ડયન નિયમનકારોએ ભારતના સરહદી વિસ્તારોમાં 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવા માટે NOTAM જારી કર્યા હતા. ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી અને આ સસ્પેન્શન 9 મે થી 15 મે સુધી અમલમાં હતું. હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે અસ્થાયી રૂપે બંધ કરાયેલા એરપોર્ટ તાત્કાલિક અસરથી ખોલવામાં આવ્યા છે.
આ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા
હંગામી ધોરણે બંધ કરાયેલા એરપોર્ટમાં ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, ભુંતર, કિશનગઢ, પટિયાલા, શિમલા, ધર્મશાલા અને ભટિંડા જેવા મોટા એરપોર્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જેસલમેર, જોધપુર, લેહ, બિકાનેર, પઠાણકોટ, જમ્મુ, જામનગર અને ભૂજ જેવા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળોએ એરપોર્ટ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા.
આ 32 એરપોર્ટ ફરી શરુ કરવામાં આવ્યા
- આદમપુર
- અંબાલા
- અમૃતસર
- અવંતિપુર
- ભટિંડા
- ભુજ
- બિકાનેર
- ચંદીગઢ
- હલવારા
- હિંડોન
- જેસલમેર
- જમ્મુ
- જામનગર
- જોધપુર
- કંડલા
- કાંગડા (ગગ્ગલ)
- કેશોદ
- કિશનગઢ
- કુલ્લુ મનાલી
- લેહ
- લુધિયાણા
- મુન્દ્રા
- નલિયા
- પઠાણકોટ
- પટિયાલા
- પોરબંદર
- રાજકોટ (હિરાસર)
- સરસવા
- શિમલા
- શ્રીનગર
- થોઇસ
- ઉત્તરલાઈ
લશ્કરી કાર્યવાહી રોકવા પર સમજૂતી થઈ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા બાદ ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આમાં, પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલો છોડવામાં આવી હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો. હવે જ્યારે બંને દેશો વચ્ચે લશ્કરી કાર્યવાહી બંધ કરવાની સમજૂતી થઈ છે, ત્યારે એરપોર્ટ ફરીથી ખોલવામાં આવ્યા છે.