Ration Card e-KYC Process: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. મોટાભાગની સરકારી યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આજે પણ ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ બે ટાઇમના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર આ લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે.

Continues below advertisement

સરકાર આ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રેશન પૂરું પાડે છે. આ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ જરૂરી છે, પરંતુ હવે રેશનકાર્ડ ધારકો પાસે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ પછી રેશનકાર્ડ ધારકોને બે વસ્તુઓ મળવાનું બંધ થઈ જશે.

ચોખા અને ખાંડ મળવાનુ થઇ જશે બંધ  - ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સૂચના જાહેર કરી છે કે તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે. જે રેશનકાર્ડ ધારકો તેમની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરે. તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે. નિયમો અનુસાર, જો રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. ભારત સરકારે રેશન કાર્ડ માટે ઇ-કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા આપી હતી. જેમાં હવે વધુ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હવે રેશનકાર્ડ ધારકો પાસે આ માટે વધુ સમય નથી.

Continues below advertisement

31 ડિસેમ્બર છે અંતિમ તારીખ -સરકારે અગાઉ રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર, 2024 નક્કી કરી હતી. આ પછી આ સમયમર્યાદા એક મહિનો વધારીને 31 નવેમ્બર 2024 સુધી કરવામાં આવી હતી. પરંતુ હવે આ સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. મતલબ કે હવે રેશનકાર્ડ ધારકો પાસે અંદાજે 41 દિવસનો સમય છે. જો રેશનકાર્ડ ધારકો 31મી ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરાવતા નથી. પછી તેમના રાશન કાર્ડમાં જે ચોખા અને ખાંડ મળે છે તે બંધ થઈ શકે છે. આ સાથે આ રેશનકાર્ડ ધારકોના નામ પણ રેશનકાર્ડમાંથી કાઢી શકાશે.

કઇ રીતે કરાવશો ઇ-કેવાયસી ? રેશનકાર્ડ ધારકોએ તેમની KYC પૂર્ણ કરાવવા માટે નજીકના રેશનકાર્ડની દુકાનમાં જવું પડશે. ત્યાં તમારે POS મશીન પર તમારા અંગૂઠાની પ્રિન્ટ મૂકીને તમારી ઓળખ ચકાસવાની રહેશે. આ પછી તમારી ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.

આ પણ વાંચો

આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે