મુંબઈ સામાન્ય રીતે જીવંત સાંસ્કૃતિક દ્રશ્ય ધરાવતું શહેર છે. જો કે મુંબઈ કેટલાક મહિના માટે મૌન હતું. પરંતુ ફરી એકવાર તે ભરતનાટ્યમના આકર્ષક પ્રદર્શન સાથે જીવંત બન્યું છે જેની વાતો દરેક વ્યક્તિ કરી રહ્યો છે. આ પરફોર્મન્સ રાધિકા મર્ચન્ટ દ્વારા આપવામાં આવ્યું છે. જેમણે નૃત્યનું શિક્ષણ પૂરું કર્યા પછી 'આરંગેત્રમ' રજૂ કર્યું હતું.


રાધિકા મર્ચન્ટ ટોચની ભારતીય ક્લાસિકલ ડાન્સર અને નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની થનારી પત્ની છે. રાધિકાના પ્રથમ ઓન-સ્ટેજ સોલો પરફોર્મન્સને જોવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે રવિવારે જિયો વર્લ્ડ સેન્ટર, BKC ખાતેના ગ્રાન્ડ થિયેટરમાં શહેરની ઘણી હસ્તીઓ હાજર રહી હતી. મર્ચન્ટ અને અંબાણી પરિવાર સાથે સલમાન ખાન અને રણવીર સિંહ સહિતની બોલિવૂડની ઘણી હસ્તીઓએ પણ રાધિકા મર્ચન્ટના 'આરંગેત્રમ સમારોહ'માં હાજરી આપી હતી અને રાધિકાને પ્રોત્સાહિત કરી હતી.


મોટી સંખ્યામાં દર્શકો એકઠા થયા


આ શો જોવા અને રાધિકા મર્ચન્ટને ચીયર કરવા માટે મોટી સંખ્યામાં દર્શકો એકઠા થયા હતા. આ પ્રસંગે મર્ચન્ટ અને અંબાણી પરિવારના તમામ સભ્યો અને નજીકના લોકો હાજર હતા. તેમાં કલા, વ્યાપાર અને જાહેર સેવા સાથે સંબંધિત તમામ વ્યક્તિત્વોનો સમાવેશ થયો હતો. મહેમાનો ધીરુભાઈ અંબાણી સ્ક્વેર થઈને જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રાન્ડ થિયેટર તરફ આગળ વધી રહ્યા હોવાથી મહેમાનો વચ્ચેનો ઉત્સાહ જોવા જેવો હતો. 




મહેમાનો ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા હતા


મોટાભાગના મહેમાનો તેમના પરંપરાગત પોશાકમાં આવ્યા હતા. જ્યારે મહિલાઓ બ્રોકેડ અને એમ્બ્રોઇડરીવાળી સિલ્ક સાડીઓમાં હતી, તો પુરૂષ મહેમાનો શેરવાની અને કુર્તામાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ દરેક મહેમાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન તમામ કોવિડ પ્રોટોકોલનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જોડાતા પહેલા તમામ મહેમાનોનું કોવિડ માટે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.  તમામ લોકોની  સલામતીને ધ્યાનમાં રાખીને બધા મહેમાનો રાજીખૂશીથી ટેસ્ટ કરાવા માટે સંમત થયા હતા.



રાધિકા મર્ચન્ટે જોરદાર પરફોર્મન્સ આપ્યું


રાધિકા મર્ચન્ટે પોતાના અભિનયથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તે તેમના અને તેમના માર્ગદર્શક શ્રીમતી ભાવના ઠાકર માટે ખૂબ જ આનંદની ક્ષણ હતી કારણ કે તેમણે રાધિકાને તેના આરેંગેત્રમની તૈયારી માટે 8 વર્ષથી વધુ સમયથી ભરતનાટ્યમની તાલીમ આપી હતી. અમે તમને જણાવી દઈએ કે આરંગેત્રમ એ એક ક્ષણ છે જ્યારે એક યુવા ક્લાસિકલ ડાન્સર પ્રથમ વખત સ્ટેજ પર પરફોર્મ કરે છે અને તેણીની વર્ષોની મહેનતનું પ્રદર્શન કરે છે. આ શબ્દ સ્ટેજ પર શાસ્ત્રીય નૃત્ય કરવા અને અન્યને તાલીમ આપવા માટે નૃત્યાંગનાના સ્નાતકનો પણ સંકેત આપે છે.


અંબાણી પરિવારની બીજી ભરતનાટ્યમ ડાન્સર હશે


યોગાનુયોગ, રાધિકા મર્ચન્ટ નીતા અંબાણી પછી અંબાણી પરિવારમાં બીજી ભરતનાટ્યમ ડાન્સર હશે. નીતા અંબાણી પોતે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે અને તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ હોવા છતાં ભરતનાટ્યમ કરે છે. રાધિકાના અભિનયમાં આરંગેત્રમના તમામ પરંપરાગત તત્વોનો સમાવેશ થતો હતો. શોના અંતે ત્યાં હાજર મહેમાનોએ તાળીઓના ગડગડાટથી રાધિકાનું સ્વાગત કર્યું હતું.