શોધખોળ કરો

Jan Suraaj Candidate Dies: બિહાર ચૂંટણી પરિણામો વચ્ચે જન સૂરજના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત

Jan Suraaj Candidate Dies: ચંદ્ર શેખર સિંહ તરારી વિધાનસભા બેઠકના ઉમેદવાર હતા. આ ઘટના એવા સમયે ઘટી જ્યારે0 શુક્રવારે જ ચૂંટણી પરિણામો જાહેર થયા.

Jan Suraaj Candidate Dies: જન સૂરજ પાર્ટી માટે ખરાબ સમાચાર સામે આન્યા છે. તરારી વિધાનસભા બેઠકના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું શુક્રવારે (14 નવેમ્બર, 2025) હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ચૂંટણી પરિણામો જાહેર થયાના થોડા સમય પછી જ આ ઘટના બની. તેઓ પટણાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

તેમને તરારી બેઠક પરથી 2,271 મત મળ્યા, જે ભાજપના વિશાલ પ્રશાંતે જીતી હતી. તેમના મૃત્યુ બાદ ચંદ્રશેખર સિંહનો પરિવાર શોકમાં છે. 31 ઓક્ટોબરના રોજ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને પહેલો હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમને પટણામાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે (શુક્રવારે) સાંજે 4 વાગ્યે, તેમને બીજો હૃદયરોગનો હુમલો આવ્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું.

ચંદ્રશેખર સિંહ નિવૃત્ત શિક્ષક હતા

ચંદ્રશેખર સિંહ મૂળ કુરમુરી ગામના હતા. તેઓ કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા નહોતા, પરંતુ સમુદાયમાં તેમની મજબૂત પ્રતિષ્ઠા હતી. જન સૂરજ પાર્ટીની રચના પછી, તેઓ પ્રશાંત કિશોરથી પ્રભાવિત થયા હતા, અને પાર્ટીએ તેમને ચૂંટણી લડવાની તક આપી હતી.

આ સમાચાર ફેલાતા જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકો તેને પ્રદેશ માટે મોટું નુકસાન ગણાવી રહ્યા છે. આ લખાય છે ત્યાં સુધી, તેમનો મૃતદેહ તેમના પૈતૃક ગામ કુરમુરી પહોંચ્યો ન હતો. તેમનો પરિવાર પટણાથી આરા જવા રવાના થઈ ગયો હતો.

તરારી બેઠક પર 29 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થઈ
ચંદ્રશેખર સિંહના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ચંદ્રશેખર સિંહ જે મતવિસ્તારમાં જન સૂરજના ઉમેદવાર હતા ત્યાં 29 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના વિશાલ પ્રશાંત 96,887 મતો સાથે પ્રથમ સ્થાને રહ્યા. સીપીઆઈએમએલના મદન સિંહ 85,423 મતો સાથે બીજા સ્થાને રહ્યા.

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ પ્રશાંત કિશોરની પાર્ટીએ આપ્યું નિવેદન

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDAનો વિજય થયો છે, ત્યારે પ્રશાંત કિશોરની પાર્ટી, જનસુરાજ પાર્ટીને એક પણ બેઠક મળી નથી. આ અંગે પ્રતિક્રિયા આપતા, પાર્ટી પ્રમુખ મનોજ ભારતીએ કહ્યું કે તેમનો પક્ષ પોતે લોકો સુધી પોતાનો સંદેશ યોગ્ય રીતે પહોંચાડવામાં નિષ્ફળ ગયો છે.

મનોજ ભારતીનું નિવેદન
બિહાર જનસુરાજના પ્રમુખ મનોજ ભારતીએ કહ્યું, "શરૂઆતથી જ, અમે બિહારમાં એક નવી રાજનીતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લોકો સુધી પહોંચવાનું આ સરળ કાર્ય નથી. પ્રશાંત કિશોર હંમેશા કહેતા હતા કે જો લોકો અમને સમજે છે, તો અમે ટોચ પર રહીશું; જો તેઓ નહીં સમજે, તો અમે નિષ્ફળ જઈશું. આ શરૂઆતના વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકો અમને સમજવામાં નિષ્ફળ ગયા, અને અમે તેમને મનાવવામાં નિષ્ફળ ગયા."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
Advertisement

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
Embed widget