નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. ત્યારે આ પ્રસંગે ભાજપ સેવા સપ્તાહનુ આયોજન કરી રહી છે. આજે ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હીની એમ્સ પહોંચ્યા હતા. અહીં તેઓએ દર્દીઓ સાથે મુલાકાત કરી અને ફળો વહેંચ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં સફાઈ અભિયાન પણ ચલાવ્યું. અમિત શાહ અને જેપી નડ્ડા સિવાય પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર, વિજય ગોયલ અને જાણિતા ગાયક હંસરાજ પણ એમ્સમાં દર્દીઓને મળ્યા હતા.


વડાપ્રધાન મોદીની જન્મદિવસ નિમિત્તે ભાજપથી આજથી 20 સુધી સપ્ટેમ્બર સેવા સપ્તાહ કાર્યક્રમ ચલાવશે. આ પ્રસંગ પર અમિત શાહે કહ્યું કે, “દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ આજથી સેવા સપ્તાહ ઉજવશે. આપણા વડાપ્રધાને આખુ જીવન રાષ્ટ્રની સેવા અને ગરીબો માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું છે. તેથી એ યોગ્ય છે કે આપણે તેમના જન્મદિવસના સપ્તાહને સેવા સપ્તાહ તરીકે ઉજવીએ. ”