Amritpal Singh News: 'વારિસ પંજાબ દે'ના ચીફ અને ખાલિસ્તાની તરફી અમૃતપાલ સિંહ હજુ સુધી પંજાબ પોલીસના હાથે ઝડપાયો નથી. તે 18 માર્ચથી તેને ઝડપી પાડવા તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે તેની અને તેના સહયોગીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. હવે પંજાબ પોલીસે કપૂરથલા જિલ્લાના ફગવાડા શહેરમાંથી એક NRIની ધરપકડ કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, હોશિયારપુરથી અમૃતપાલ ફરાર થવાની ઘટનાના સંદર્ભમાં આ NRIની ધરપકડ કરવામાં આવી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ NRIનું નામ જસવિંદર સિંહ પાંગલી છે, જે ફગવાડા પાસેના જગતપુર જટ્ટા ગામનો રહેવાસી છે. જાણવા મળી રહ્યું છે કે, પાંગલી સિવાય પોલીસે આ કેસમાં વધુ ઘણા લોકોની અટકાયત કરી છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં અમૃતપાલ વિશે મોટા ખુલાસા થઈ શકે છે.

NRI - સ્ત્રોતો પાસેથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા

કહેવાય છે કે, અમૃતપાલ સિંહનું છેલ્લું લોકેશન 28 માર્ચે હોશિયારપુરના મરનૈયા ગામમાં મળ્યું હતું. હોશિયારપુરમાં પોલીસે તેને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ મારનાયા ગામમાંથી ફરાર થયા બાદ પંજાબ પોલીસે પહેલીવાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. જસવિંદર સિંહ પાંગલીમાંથી અમૃતપાલ અને તેના પાર્ટનર પપ્પલ પ્રીત સિંહ વિરુદ્ધ ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.

પંજાબ પોલીસ આગામી દિવસોમાં કરી શકે છે મોટા ખુલાસા

ચર્ચા છે કે, આગામી દિવસોમાં પંજાબ પોલીસ આ મામલે ઘણા મોટા ખુલાસા કરી શકે છે. અલગતાવાદી નેતા અમૃતપાલ સિંહના ફરાર થયા બાદ પંજાબ પોલીસની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. 22 દિવસથી પોલીસ ખાલી હાથ છે. આ મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અમૃતપાલ અને પાપલપ્રીત સિંહ હોશિયારપુરના એક ગામમાં એક કેમ્પમાં જોવા મળ્યા હતા.

 આખરે અમૃતપાલ આવ્યો ઘુંટણીયે, પોલીસ સામે મુકી આ શરતો

Amritpal Singh Arrest Operation: ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહને ઝડપી પાડવા માટે પંજાબ પોલીસ સતત ઓપરેશન ચલાવી રહી છે. તો બીજી બાજુ અમૃતપાલ છેલ્લા કેટલાક દિવસથી છુપાઈને આમથી તેમ સંતાતો ફરે છે. પરંતુ હવે અમૃતપાલ ઢીલો પડ્યો છે અને પોલીસને શરણે થવા માંગતો હોવાનું લાગી રહ્યું છે. અમૃતપાલ સિંહે પોલીસ સમક્ષ ત્રણ શરતો મૂકી છે. વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહે કહ્યું છે કે, તેની ધરપકડને આત્મસમર્પણ તરીકે દર્શાવવામાં આવે.

આ ઉપરાંત અમૃતપાલ સિંહની પાછળ પડેલી પોલીસ હજી સુધી તેને પકડી ના શકતા પંજાબ પોલીસની ચારેકોર થૂ થૂ થઈ રહી છે. જેને લઈને પંજાબ પોલીસે એક એસએસપી સહિત 6 પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે.