Andhra Pradesh : આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી 2024ની રાજ્યની ચૂંટણીઓ પહેલાં તેમની કેબિનેટનું વિસર્જન કરવા અને નવા પ્રધાનો લાવવાની તૈયારીમાં છે. ગુરુવારે બપોરે 3 વાગ્યે યોજાનારી કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ મંત્રીઓને રાજીનામું આપવા માટે કહેવામાં આવશે.


નવી કેબિનેટમાં માત્ર 4 જૂના મંત્રીઓ 
સૂત્રોના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશ કેબિનેટના ઘણા મંત્રીઓ 9 અથવા 11 એપ્રિલે રાજીનામું આપે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે આ નામોની અંતિમ યાદી આજે રાજ્યપાલને મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે વર્તમાન કેબિનેટમાંથી માત્ર 4 મંત્રીઓ જ આ પદ સંભાળશે.


26 જિલ્લામાંથી દરેકમાંથી એક મંત્રી બનાવવામાં આવશે 
સીએમ જગન બુધવારે સાંજે રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદનને મળ્યા હતા અને તેમને જાણ કરી હતી કે તેઓ તેમના કેબિનેટમાં ફેરફાર કરશે. 9 અથવા 11 એપ્રિલના રોજ શપથ ગ્રહણ કરવા માટેના નામોની અંતિમ યાદી સોંપવા મુખ્યમંત્રી આવતીકાલે ફરીથી રાજ્યપાલને મળે તેવી શક્યતા છે. નવી કેબિનેટમાં નવા રચાયેલા 26 જિલ્લાઓમાંથી દરેકનું પ્રતિનિધિત્વ હોવાની શક્યતા છે. 


પાર્ટીમાં કોઈ વિરોધ નથી 
2019માં આંધ્ર પ્રદેશની વિધાનસસભા ચૂંટણીમાં તેમની જંગી જીત મેળવનાર જ જગન રેડ્ડીએ કહ્યું  કે તેઓ 2024ની વિધાનસભા ચૂંટણી  માટે તેમની વ્યૂહરચનાના ભાગ રૂપે વચગાળાની  નવી ટીમ પસંદ કરશે. વિચાર દરેકને તક આપવાનો હતો અને મંત્રી તરીકે સેવા આપતા ધારાસભ્યોમાં પણ કોઈ સત્તા વિરોધી લહેર નથી. 


આંધ્રમાં 16 નવા જિલ્લાઓ બન્યા 
સીએમ જગન મોહન રેડ્ડીએ સોમવારે ઔપચારિક રીતે રાજ્યમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 13 નવા જિલ્લાઓ શરૂ કર્યા, આ સાથે જિલ્લાની  કુલ સંખ્યા 26 થઈ ગઈ. તેમણે કહ્યું કે લોકોએ સરકારના વિકેન્દ્રિત સ્વરૂપને સ્વીકાર્યું છે અને તેની પ્રશંસા કરી છે કારણ કે યોજનાઓ સીધી તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે, અને તેને હવે જિલ્લાઓમાં વધારવામાં આવી રહી છે. 


સીએમ જગન મોહન રેડ્ડીએ કહ્યું,  “અમે ગામડા અને વોર્ડ સચિવાલયોના રૂપમાં વિકેન્દ્રિત વહીવટ દ્વારા વિકાસ જોયો છે. હવે અમે જિલ્લા સ્તરે પણ વિકેન્દ્રીકરણ કરી રહ્યા છીએ. હવેથી આંધ્રપ્રદેશ એ 26 જિલ્લાઓ ધરાવતું રાજ્ય છે. અમારી પાસે જિલ્લા દીઠ ઓછામાં ઓછો એક સંસદીય મતવિસ્તાર છે.”