અટલજીના નિઘન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. કાલે દિલ્હીમાં યમૂના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજઘાટ પાછળ અટલ બિહારી વાજપેયીની સમાધી બનાવવામાં આવશે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક રદ્દ કરવામાં આવી છે. જાણકારી મુજબ અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર કાલે કરવામાં આવશે. કાલે પાર્ટી કાર્યાલય ખાતે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.