Ayodhya News: અયોધ્યામાં થાના રામ જન્મભૂમિના શૃંગાર હાટમાં શંકાસ્પદ સંજોગોમાં નિર્માણાધીન દુકાનમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં દુકાનમાં કામ કરતા મજૂર અનિલનો હાથ ગુમાવ્યો હતો. આ સાથે જ તેના પેટમાં છરો પણ છે, મજૂરને ગંભીર હાલતમાં શ્રી રામ હોસ્પિટલથી ટ્રોમા સેન્ટર દર્શન નગરમાં રિફર કરવામાં આવ્યો છે.


જોરદાર વિસ્ફોટના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ ઉભો થયો હતો. આ સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નિર્માણાધીન દુકાનના માલિકનો દાવો છે કે, વિસ્ફોટ ફટાકડાના કારણે થયો હતો. અહીં વિસ્ફોટ બાદ પોલીસે ઊંડી તપાસ શરૂ કરી હતી.


જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર છે. હાલમાં જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે સોશિયલ મીડિયા પર રામ મંદિરના નિર્માણની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રામ મંદિરની ભવ્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને 2024 સુધીમાં ભક્તો માટે ખોલવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.


સંસદ બાદ હવે રામ મંદિરનો વારો, ગ્રાઉન્ડ ફ્લૉર બનીને તૈયાર થૉયુ, ટ્રસ્ટે શેર કરી તસવીરો


આજે દેશને નવું સંસદ ભવન મળી ગયુ, પીએમ નરેન્દ્ર મોદીએ આજે વૈદિક વિધિ વિધાન દ્વારા નવા સંસદ ભવનનું ઉદઘાટન કરી દીધુ છે. સંસદના નવનિર્મિત ઈમારતના ઉદઘાટન બાદ હવે વારો છે રામ મંદિરનો. અયોધ્યામાં જે ઝડપે મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગે છે કે બહુ જલદી રામ મંદિર બનીને તૈયાર થઇ જશે. અયોધ્યામાં રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લૉર તૈયાર છે. બાંધકામ સ્થળની તાજા તસવીરો પરથી આ વાત જાણી શકાય છે.


અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટે નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન કન્સ્ટ્રક્શન સાઈટની તાજી તસવીરો સામે આવી છે, જેમાં રામ મંદિરનું ભોંયતળિયું લગભગ બનીને તૈયાર થઈ ગયું હોવાનું દેખાઈ રહ્યું છે. આ તસવીરો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શેર કરી છે, જેઓ શ્રી રામ મંદિરનું નિર્માણ કરાવી રહી છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને 2024 સુધીમાં ભક્તો માટે ખોલવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.