ધીરેન્દ્ર શાસ્ત્રીજી લોકોને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવાની અને બચાવવાની સલાહ આપી રહ્યા હતા, જેથી પર્યાવરણ પર તેની અસર ઓછી થાય.
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને 1 લિટર પેટ્રોલ-ડીઝલ બચાવવાની શિખામણ આપનારા બાગેશ્વર બાબા ખુદ હેલિકોપ્ટર અને ડિફેન્ડર જેવી મોંઘી ગાડીઓમાં કેદારનાથ પહોંચ્યા; શું દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે?

- ધીરેન્દ્ર શાસ્ત્રી પેટ્રોલ-ડીઝલ બચાવવા લોકોને અપીલ કરે છે.
- તેઓ પોતે હેલિકોપ્ટર અને મોંઘી ગાડીઓમાં મુસાફરી કરે છે.
- હેલિકોપ્ટર અને ગાડીઓમાં ભારે માત્રામાં ઇંધણનો વપરાશ થાય છે.
- લોકો શાસ્ત્રીજીના ઉપદેશ અને કાર્ય પર સવાલો ઉઠાવી રહ્યા છે.
Dhirendra Shastri fuel controversy: કહેવાય છે ને કે ઉપદેશ આપવો સહેલો છે, પણ તેનો અમલ કરવો બહુ અઘરો છે! આવું જ કંઈક બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોવા મળ્યું છે. હિંદુ રાષ્ટ્ર અને ચાર બાળકો પેદા કરવાની વાતો કરનારા બાબાએ તાજેતરમાં લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવાની અને તેનો ઓછો ઉપયોગ કરવાની શિખામણ આપી હતી. પરંતુ હવે ખુદ બાબા જ વિવાદમાં સપડાયા છે, કારણ કે તેઓ પોતે લોકોને આપેલા ઉપદેશનો અમલ કરવાનું ભૂલી ગયા હોય તેમ હેલિકોપ્ટર અને મોંઘીદાટ ગાડીઓમાં કેદારનાથ-બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. આ આખી ઘટના પરથી લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું બાબાના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે?
એક તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીજી લોકોને એવી અપીલ કરી રહ્યા હતા કે મહિનામાં 1 લિટર પેટ્રોલ-ડીઝલ પણ ન વાપરો અથવા બચાવો. પણ આ વાતને હજુ 20 દિવસ પણ માંડ થયા હશે, ત્યાં જ તેમની ત્રણ-ત્રણ તસવીરો સામે આવી ગઈ. આ તસવીરોમાં તેઓ ક્યારેક હેલિકોપ્ટરમાં તો ક્યારેક મોંઘીદાટ લક્ઝરી ગાડીઓમાં ફરતા જોવા મળે છે. આ જોઈને એવો કટાક્ષ થઈ રહ્યો છે કે, જાણે બાબા એવું વિચારતા હશે કે તેમનું હેલિકોપ્ટર, લેન્ડ રોવર ડિફેન્ડર કે ફોર્ડ એન્ડેવર જેવા વાહનો 1 લિટરથી પણ ઓછા પેટ્રોલમાં આખા હિમાલયના શિખરો પાર કરી લેતા હશે!
આ પણ વાંચોઃ
VIDEO: 'માફ નહીં, સાફ કરી દેવા જોઈએ': બાગેશ્વર બાબાનું રણવીર અને સમય રૈનાને લઈ વિવાદિત નિવેદન
હવે જરા ઇંધણના વપરાશના આંકડાઓ પર નજર કરીએ તો, દેહરાદૂનથી બદ્રીનાથ ધામ સુધી તેઓ જે હેલિકોપ્ટરમાં ગયા, તેમાં અંદાજે 150 થી 180 લિટર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ વપરાયું છે. બદ્રીનાથના પહાડો સુધી તેઓ જે ફોર્ડ એન્ડેવર અને આલીશાન ડિફેન્ડર ગાડીમાં પહોંચ્યા, તેની માઇલેજ પણ માંડ 5 થી 9 કિલોમીટર પ્રતિ લિટરની આસપાસ જ હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સામાન્ય લોકોને તો મોટી અપીલ કરી રહ્યા છે, પણ તેમણે પોતે પણ તેના પર થોડો અમલ કરવાની જરૂર છે. જો તેઓ હેલિકોપ્ટર અને મોંઘી ગાડીઓના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરીને મંદિરે ગયા હોત, તો તેમની આ અપીલનો લોકો પર ખરેખર ઘણો સારો પ્રભાવ પડ્યો હોત.
Frequently Asked Questions
ધીરેન્દ્ર શાસ્ત્રીજી લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવાની સલાહ કેમ આપી રહ્યા હતા?
ધીરેન્દ્ર શાસ્ત્રીજી સામે કયો વિવાદ થયો છે?
તેઓ લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવાની સલાહ આપીને પોતે હેલિકોપ્ટર અને મોંઘી ગાડીઓમાં મુસાફરી કરતા જોવા મળતા વિવાદમાં સપડાયા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાહનો કેટલું ઇંધણ વાપરે છે?
તેઓ જે હેલિકોપ્ટરમાં ગયા તેમાં લગભગ 150-180 લિટર ફ્યુઅલ વપરાયું. તેમની કારોની માઇલેજ 5-9 કિલોમીટર પ્રતિ લિટરની આસપાસ જ છે.
લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીજીના કાર્યો પર શું પ્રતિક્રિયા આપી રહ્યા છે?
લોકો કટાક્ષ કરી રહ્યા છે કે શું બાબાના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે, કારણ કે તેમની સલાહ અને કાર્યોમાં વિરોધાભાસ દેખાય છે.






















