Bengal Partisan: પશ્ચિમ બંગાળના બજેટ સત્રના પહેલા દિવસે તૃમમૂલ કોંગ્રેસે (TMC) ઉત્તર બંગાળને અલગ રાજ્ય બનાવવાની માંગને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે પોતાનો મત સ્પષ્ટ કરવા માટે કહ્યુ છે. ટીએમસીએ બંગાળના વિભાજન વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવની જાહેરાત કરી છે. ઉત્તર બંગાળના વિકાસ મંત્રી ઉદયન ગુહાએ રાજ્યના વિભાજન પર પોતાનો મત સ્પષ્ટ કરવાને લઇને બીજેપીને 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ છે. તેમને બીજેપી પર બંગાળના લોકોની સાથે ડબલ ગેમ રમવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીનો આરોપ છે કે આ માંગની પાછળ બીજેપીના નેતા છે. 


બંગાળને તોડવાની કોશિશનો આરોપ - 
સિલીલુડીમાં મીડિયા સાથેની વાતચીતમાં ગુહાએ કહ્યું કે, ભાજપા બંગાળના લોકોની સાથે ડબલ ગેમ રમી રહી છે. દક્ષિણ બંગાળમાં, તે કહે છે કે તે ઉત્તર બંગાળને એક અલગ રાજ્ય નથી બનાવવા માંગતા, જ્યારે ઉત્તર બંગાળમાં તેમના સાંસદ અને ધારાસભ્યો અલગ રાજ્યની માંગ કરી રહી છે. ભાજપાને 48 કલાકની અંદર પોતાનો મત સ્પષ્ટ કરવો પડશે. 


ટીએમસી મંત્રીએ ભાજપ પર બંગાળમાં ગડબડી પેદા કરવાનો પણ આરોપ લગાવ્યો છે, કેમ કે ચૂંટણી નજીક છે. તેમને કહ્યું કે, બંગાળને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમે આ બજેટ સત્રમાં આના વિરુદ્ધ પ્રસ્તાવ લાવીશું. વળી, પશ્ચિમ બંગાળના મંત્રી સોવનદેબ ચટ્ટોપાધ્યાયએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે વિપક્ષ સહિત દરેક ધારાસભ્ય આ પ્રસ્તાવનું સમર્થન કરે. 


બીજેપીનુ પાખંડ આવશે સામે- ગુહા 
તેમને આગળ સવાલ કર્યો કે રાજ્યોના વિભાજનને લઇને બીજેપીની ત્રિપુરા માટે એક નીતિ છે, તો બંગાળ માટે બીજી. આવુ કેમ ? ટીએમસી નેતાએ આના ગંદી રાજનીતિ બતાવતા કહ્યું કે, જલદી જ બીજેપીનુ પાખંડ લોકોની સામે આવશે.


 


શું PM મોદીએ પઠાણ ફિલ્મના વખાણ કર્યા? વડાપ્રધાનના નિવેદન પર શાહરૂખ ખાનના ફેન્સ થયા ફીદા


PM Modi On Pathaan: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સંસદમાં આવી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (8 ડિસેમ્બર) લોકસભામાં તેમના ભાષણ દરમિયાન શ્રીનગરના થિયેટરોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું, "શ્રીનગરમાં દાયકાઓ પછી થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા છે."


પીએમ મોદીના આ નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેને ફિલ્મ પઠાણ સાથે સીધી રીતે જોડીને જોઈ રહ્યા છે. ખરેખર, ફિલ્મ પઠાણે દેશ અને દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. પઠાણ ફિલ્મને કારણે શ્રીનગરમાં દાયકાઓ પછી થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા છે. ફિલ્મની રિલીઝ દરમિયાન શ્રીનગરના થિયેટરની એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેમાં હાઉસફુલનું બોર્ડ જોવા મળ્યું હતું.


બોલિવૂડ-ભાજપ સાથે જોડાયેલા લોકો કે ફિલ્મો પર ટિપ્પણી ન કરો


આ પહેલા વડાપ્રધાન મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરો અને નેતાઓને વિનંતી કરી હતી કે તેઓ બોલિવૂડ સાથે જોડાયેલા લોકો અથવા ફિલ્મો પર કોઈ ટિપ્પણી ન કરે. પીએમ મોદીનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે કેટલાક લોકો ફિલ્મ પઠાણનો વિરોધ કરી રહ્યા હતા અને બહિષ્કાર કરી રહ્યા હતા.