જન અધિકાર પાર્ટીના જિલા કાર્યકારી અધ્યક્ષ રામવિલાસ પાસવાને કહ્યું કે, અમે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પૂ યાદવજીના નિર્દેશાનુસાર રેલવેના ટ્રેક પર ચક્કા જામ કરી રહ્યાં છે જેથી જે ખેડૂતો વિરોધી બિલ સરકાર લાવી છે તેને પરત ખેંચે. તે ખેડૂતોના હિત વિરુધ્ધ છે. આ લોકો માત્ર દેખાડો કરી રહ્યાં છે કે, ખેડૂતો માટે અમે ઘણા બધા કામો કર્યો છે પરંતુ એવું નથી, ખેડૂતોને તમે મારી નાંખ્યા છે.
પાર્ટીના અધ્યક્ષ વિપિન કુમાર સિંહ કહ્યું કે, ખેડૂતોના હિતમાં અધ્યાદેશ લાવીને સરકાર પીઠ થપથપાવી રહી છે પરંતુ તે ખેડૂતોના હિતમાં નથી. અમારી માંગ છે કે ખેડૂતોને ન્યાય મળે. જે વર્તમાન સરકાર છે તેમણે કહ્યું હતું કે ખેડૂતોની આવક ડબલ થશે પરંતુ આજે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ