Lenskart Menufacturing Unit: આઈવેર રિટેલર લેન્સકાર્ટ તેલંગાણામાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. કંપનીએ તેલંગાણા સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત રાજ્યમાં આશરે રૂ. 1,500 કરોડના ખર્ચે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. એવી અપેક્ષા છે કે આનાથી લગભગ 2,100 લોકોને રોજગાર મળશે.

Continues below advertisement

તેલંગાણામાં દુનિયાનનો સૌથી મોટો આઇવિયર પ્લાન્ટ રાજ્યના ઉદ્યોગ અને આઈટી પ્રધાન ડી શ્રીધર બાબુએ ટ્વિટર પર તેમના સત્તાવાર એકાઉન્ટ પર આનો ઉલ્લેખ કરતા લખ્યું, લેન્સકાર્ટ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરતા ઘણો આનંદ થાય છે.

આ હેઠળ, કંપની તેલંગાણામાં 1,500 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિશ્વનું સૌથી મોટું ચશ્માનું ઉત્પાદન એકમ સ્થાપશે. તેમણે એમ પણ કહ્યું કે આ મેન્યૂફેક્ચરિંગ યૂનિટ આંખને લગતી તમામ વસ્તુઓ જેમ કે લેન્સ, સનગ્લાસ વગેરેનું ઉત્પાદન કરશે.

Continues below advertisement

અહીથી ઇમ્પૉર્ટ પણ કરવામાં આવશે પ્રૉડક્ટ્સ શ્રીધર બાબુએ એ પણ માહિતી આપી હતી કે અહીં બનેલા ઉત્પાદનોની દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં પણ નિકાસ કરવામાં આવશે. આ યૂનિટની સ્થાપના સાથે 2,100 નવી નોકરીઓનું સર્જન થશે. ઉપરાંત આને લગતા સંશોધન અને વિકાસ કેન્દ્રની પણ સ્થાપના કરી શકાય છે.

મંત્રીએ એમ પણ કહ્યું કે, ફેક્ટરી બનાવવા માટે જમીનની ઓળખ કરવામાં આવી છે, જે આ અઠવાડિયે લેન્સકાર્ટને સોંપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે આ અમારી સરકાર દ્વારા બનાવવામાં આવેલી નીતિ છે, જેના કારણે કંપનીઓને કામને ઝડપથી આગળ વધારવાની સુવિધા મળે છે.

બેગ્લુરું પણ હતુ લિસ્ટમાં સામેલ  અગાઉ, એપ્રિલમાં, લેન્સકાર્ટના સહ-સ્થાપક અને સીઇઓ પીયુષ બંસલે લિંક્ડઇન પર એક પૉસ્ટ દ્વારા કહ્યું હતું કે કંપની બેંગલુરુમાં કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી 60 કિલોમીટરની ત્રિજ્યામાં 'મેગા ફેક્ટરી' સ્થાપશે બનાવવા માટે જમીન.

આના જવાબમાં રાજ્યના ઉદ્યોગપ્રધાન એમ.બી. પાટીલે જણાવ્યું હતું કે તેઓ રોકાણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. જોકે મામલો વધુ આગળ વધ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે બંને રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી સત્તા પર છે.

આ પણ વાંચો

Recruitment: યુવાઓ માટે સરકારી નોકરીનો મોકો, આ કંપનીમાં 723 જગ્યાઓ માટે અહીંથી કરી શકો છો અરજી