Naveen Jindal Gets Threat: પેગમ્બર મોહમ્મદ પર નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નવીન જિન્દાલને હવી જીવથી મારી નાંખવાની ધમકી મળી છે. આ મામલે જિન્દાલે પોલીસ ફરિયાદ કરી છે, અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમને ટ્વીટ કરતાં કહ્યું કે, આની સૂચના મે પીસીઆરને આપી દીધી છે, અને ડીસીપી પૂર્વ દિલ્હી, સાયબર સેલ અને દિલ્હીના પોલીસ કમિશનર પર આના પર તરતજ સંજ્ઞાન લેવા કહ્યું છે.


નવીન જિન્દાલને આ ધમકી મેલ દ્વારા આપવામાં આવી છે તેને સવારે ટ્વીટ કરીને બતાવ્યુ કે, આજે સવારે લગભગ 6:43 વાગે મને 3 ઇમેલ આવ્યા છે, જેમાં ઉદેપુરમાં ભાઇ કન્હૈયા લાલનુ ગળુ કાપવાનો વીડિયો એટેચ કરતા મારી અને મારી પરિવારને પણ આવી જ રીતે ગળુ કાપવાની ધમકા આપવામાં આવી છે. મેં PCRને સૂચના આપી દીધી છે. 


શું છે ઉદેપુર હત્યાનો આખો મામલો -
Udaipur Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૃતક કન્હૈયા લાલ ટેલર્સની દુકાન ચલાવતો હતો. હત્યારાઓ કપડા સિલાઇ કરાવવાના બહાને તેની દુકાને આવ્યા અને તેની હત્યા કરી નાખી. આટલું જ નહીં તેણે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો. આ મામલે સીએમ અશોક ગેહલોતે તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.




સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત - એસ.પી - 
ઉદયપુરમાં બનેલી આ ઘટના અંગે જિલ્લા એસપી મનોજ કુમારે કહ્યું કે અમને ક્રૂર હત્યાની માહિતી મળતાની સાથે જ પોલીસ તૈનાત કરવામાં આવી છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, અમે ટીમ મોકલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો પણ અમે જોયો છે.