બેંગલુરુ એરપોર્ટ પર નમાજને લઈને બબાલ, ભાજપ ભડક્યું, પૂછ્યું- હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે થયું?
બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ખુલ્લામાં નમાઝ અદા કરતા જોવા મળે છે. આ વીડિયોએ મોટો વિવાદ ઉભો કર્યો છે. વિપક્ષી પાર્ટીઓએ રાજ્ય સરકાર પર ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.
How is this even allowed inside the T2 Terminal of Bengaluru International Airport?
— Vijay Prasad (@vijayrpbjp) November 9, 2025
Hon’ble Chief Minister @siddaramaiah and Minister @PriyankKharge do you approve of this?
Did these individuals obtain prior permission to offer Namaz in a high-security airport zone?
Why is it… pic.twitter.com/iwWK2rYWZa
વીડિયોમાં નમાઝ અદા કરતા જોવા મળતા લોકો
અહેવાલ મુજબ, વીડિયોમાં નમાઝ અદા કરતા જોવા મળતા લોકો મક્કા જતા મુસાફરોના સંબંધીઓ હોવાનું માનવામાં આવે છે. એરપોર્ટ પરિસરમાં પહેલેથી જ એક નિયુક્ત નમાઝ રૂમ હોવા છતાં તેઓએ જાહેર જગ્યામાં નમાઝ અદા કરી. વાયરલ વીડિયોમાં એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ પણ નજીકમાં દેખાય છે.
ભાજપે સરકાર પર સવાલ ઉઠાવ્યા
વીડિયો સામે આવ્યા બાદ ભાજપના નેતા વિજય પ્રસાદે એક્સ પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને આઈટી મંત્રી પ્રિયંક ખડગે પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું, "બેંગલુરુ એરપોર્ટના ટી2 ટર્મિનલમાં આ કેવી રીતે મંજૂરી આપવામાં આવી? શું આ લોકોએ નમાઝ અદા કરવા માટે પૂર્વ પરવાનગી મેળવી હતી? આ એક હાઈ સિક્યોરિટી ઝોન છે." તેમણે આગળ લખ્યું હતું કે, "સરકાર RSS માર્ચ જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ આવી ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે. આ એક ગંભીર સુરક્ષા ચિંતા છે."
સરકાર નવી માર્ગદર્શિકા જાહેર કરવાનું વિચારી રહી છે
હવે, એવા રિપોર્ટ આવ્યા છે કે કર્ણાટક સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને નવી માર્ગદર્શિકા જાહેર કરવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ટૂંક સમયમાં એક આદેશ જાહેર કરી શકે છે જે એરપોર્ટ પરિસરમાં કોઈપણ પ્રકારની ધાર્મિક અથવા રાજકીય પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકશે.





















