નવી દિલ્હી: રાજધાની દિલ્હીની નજીક આવેલા નોઇડામાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સમાચાર એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, નોઈડાના સેક્ટર 11 માં એક મકાન ધરાશાયી થયું છે. બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં બે લોકોના મોત થયા છે.




નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર બે લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.



પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઇમારત નોઈડાના સેક્ટર 11માં આવેલી એફ 62 માં પડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું.

ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને એનડીઆરએફની એક ટીમ ઘટના સ્થળે હાજર છે. મળતી માહિતી મુજબ ત્રણ લોકોનો બચાવ થયો છે. બચાવેલ લોકોમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ છે.