નવી દિલ્હીઃ પીઓકેના આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાની મોટી કાર્યવાહી બાદ વડાપ્રધાનની અધ્યક્ષતામાં સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં પીએમ ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, નાણામંત્રી અરુણ જેટલી, એનએસએ અજીત ડોભાલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં.


ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના બે અઠવાડિયાની અંદરજ સેનાએ આતંકવાદીઓને મોંહતોડ જવાબ આપ્યો છે.

એરફોર્સે એલઓસી પાર કરીને જૈએ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલો બૉમ્બ ફેંક્યા છે. માહિતી અનુસાર મોડી રાત્રે 3 વાગે કરવામાં આવેલા વાયુસેનાના ઓપરેશનમાં 12 મિરાજ ફાઇટર પ્લેને કાર્યવાહીને અંજામ આપ્યો હતો.

વાયુસેનાએ મોડી રાત્રે લગભગ 3.30 વાગે આ કાર્યવાહી કરી હતી. પુલવામાં હુમલા બાદથી જ ભારત તરફથી મોટી કાર્યવાહીના સંકેત આપવામાં આવી રહ્યાં હતાં. હાલમાં બન્ને દેશોમાં તનાવની સ્થિતિ પેદા થઇ ગઇ છે.