મુખ્યમંત્રી અખિલેશ યાદવને આતંકવાદી હુમલાથી જાનનો ખતરો, સુરક્ષા અધિકારીઓને કરાયા એલર્ટ
abpasmita.in | 27 Jul 2016 11:44 AM (IST)
બરેલી: પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ હાલ આતંકિઓના નિશાને છે. સીએમની જાનને આતંકવાદી, ઉગ્રવાદી અને રાષ્ટ્ર વિરોધિઓથી ખતરો છે. ખાનગી રિપોર્ટ પછી રાજ્યનું ગૃહ વિભાગ સર્તક થઈ ગયું છે. મંગળવારે પ્રમુખ સચિવ ગૃહ દેવાશીષ પાંડાએ રાજ્યના તમામ ડીએમ અને એસએસપીને એલર્ટ રહેવા આદેશ આપી દીધો છે. સીએમના અલગ અલગ જિલ્લામાં પ્રવાસ દરમિયાન વિશેષ ચોક્સાઈ રાખવા નિર્દેશ અપાયો છે. રાજ્યના સચિવ ગૃહ પાંડાએ ડીએમ અને એસએસપીને આતંકી ગતિવિધિઓ વિશે વિશેષ ચોકસાઈ રાખવા આદેશ કરાયો છે. દેવાશીષ પાંડાએ ડીએમ અને એસએસપીને એલર્ટમાં દેશ અને વિદેશમાં થયેલા આતંકી હુમલાની વાત કરી છે. આતંકી ઘટનાઓમાં ઉપયોગમાં થનાર રીતોની જાણકારી ડીએમ અને એસએસપીને આપી છે. પ્રમુખ સચિવે પઠાનકોટ એયરબેસના આતંકી હુમલા પર ખાસ ફોક્સ કરીને ઓફિસરોને વિશેષ કદમ ઉઠાવવા કહ્યું છે. દેવાશીષ પાંડાએ લોકલ સ્તરે શંકાસ્પદ લોકોએ ખાસ નજર રાખવા સલાહ આપી છે. સીએમના પ્રવાસને જોતા પહેલાથી સુરક્ષા ચક્રવ્યૂહ તૈયાર કરવા માટે સૂચન અપાયું છે.